અત્યારે લગ્નસરાની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે યજમાનો પણ પ્રસંગમાં આવેલા મહેમાનોને જુદી જુદી વાનગીઓ ખવડાવવાના મૂડમાં છે. હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝનમાં ભોજનમાં લિમિટેડ મેનુ અને મહારાષ્ટ્રીયન ફૂડનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અન્નનો બગાડ ન થાય તે માટે પણ હવે જાગૃતિ આવવા લાગી છે. લોકો મનપસંદ પણ બગાડ ન થાય તેવું મેનુ પસંદ કરી રહ્યા છે.
ગુજરાતી લગ્નમાં બદલાયું મેનુ
પંજાબીને બદલે મહારાષ્ટ્રીયન વાનગીઓનો વધ્યો ક્રેઝ
મહારાષ્ટ્રીય વાનગીઓમાં આ ડિશની છે વધારે બોલબાલા
મહારાષ્ટ્રીયન વાનગીની સાથે વધ્યો આ વાનગીઓનો ક્રેઝ
એક સમયે લગ્નમાં એક જ ભોજન લંચ કે ડિનરમાં ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ, કાઠિયાવાડી, ચેટ, પાણીપુરી, પંજાબી એમ અધધ મિક્સ મેનુ રાખતા હતા. હવે તેનું સ્થાન ફિક્સ મેનુએ લીધું છે. દરેક લોકો જમી શકે તેવું લિમિટેડ અને ફિક્સ મેનુ રાખવામાં આવે છે. હેલ્થ અવેરનેસ પણ લોકોમાં હવે વધી છે. જેનો મેનુ પર પ્રભાવ પડી રહ્યો છે. લગ્નમાં હવે ભજિયાં કે પંજાબી ડિશ કોમન ગણાય છે. તેનું સ્થાન હવે મહારાષ્ટ્રીયન ફૂડે લીધું છે. જોકે ઠંડીની સિઝનમાં ડિનર મેનુમાં હજુ પણ લગ્ન સિવાયના સાઈડના પ્રસંગોમાં ખીચડી કાઢી, બાજરી મકાઈના રોટલા, રીંગણનો ઓળો દેશી માખણ ગોળ પર પસંદગી કરવામાં આવે છે.
મહારાષ્ટ્રીય વાનગીઓમાં આ ડિશની છે વધારે બોલબાલા
મહારાષ્ટ્રીયન વાનગીઓ ઉસળ, કુત્તુના દારાની ખીચડી, ચણાદાળ અને નાળિયેરની પુરણપોળી, ચોળીનાં પાનની ભાજી,ઝુલકા,તિલકૂટ, દલિમ્બિ ઉસળ, નાળિયેર ભાત, હરિયાળી મઠ આ બધી વાનગીઓની હાલમાં બોલબાલા છે. લિમિટેડ મેનુ રાખવાનો ફાયદો એ છે કે અન્નનો બગાડ થતો અટકે છે. જોકે આ વર્ષે કેટરિંગમાં ભાવ વધારો થયો નથી. પહેલાં કેટરિંગ સર્વિસ પર ૧૮ ટકા જીએસટી હતો જે ઘટીને હવે ૫ ટકા થઈ જતાં આ વર્ષે કેટરિંગમાં ભોજનની ડિશમાં ખાસ ભાવ વધારો થયો નથી.