બોલિવુડ કપલ સિદ્ધાર્થ-કિયારાના લગ્ન યોજાયા બાદ હવે ભવ્ય રિસેપ્શન મુંબઈ અને દિલ્હીમાં યોજાશે જેમાં શાહરૂખથી લઈને પ્રિયંકા સુધીના આ સ્ટાર હાજર રહી શકે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નગ્રંથી જોડાયા
જાજરમાન લગ્નોત્સવ બાદ રિસેપશન યોજાશે
બોલીવુડમાં સીતારાઓ રહેશે હાજર
બોલિવુડમાં વધુ એક કપલે પ્રભુતામાં પગલા માડી દિધા છે. ગઈ કાલે એટલે કે સાત ફેબ્રુઆરીના રોજ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કરી લીધા છે. આ શાહી લગ્ન રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે બંનેનું રિસેપ્સન દિલ્હીની હોટલમાં આવતીકાલે 9 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવ્યું છે. આ રિસેપ્શનનમાં બોલિવુડ આખુ આવશે. જેમાં શાહરૂખ ખાનથી લઈને પ્રિયંકા ચોપડા સુધીના સ્ટાર સામેલ થવાના છે.
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન બાદ તેઓ દિલ્હી તેમના ઘરે પહોચ્યા હતા. હવે તેઓ દિલ્હીમાં એક રિસેપ્શનનું આયોજન કર્યુ છે. તે બાદ મુંબઈ ખાતે ગ્રૈન્ડ રિસેપ્શનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રીપોર્ટસનુ માનીએ તો સિદ્ધાર્થ અને કિયારા ૧૦ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી મુંબઈ જવા રવાના થશે. અને ત્યાર બાજ મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૧૨ ફેબ્રુઆરીના ફિલ્મ સ્ટાર્સનુ ભવ્ય સ્વાગત કરશે. એક મીડિયા રીપોર્ટના અહેવાલ પ્રમાણે મુંબઈની સેન્ટ રેજીસ હોટેલમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થનું રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહત્વની વાત એ છે કે આ હોટેલ સૌથી પોશ ફાઈવ સ્ટાર હોટેલ માની એક હોટલ છે તેમજ સેલ્બ્સને અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા સંબંધિત સમસ્યાનો સામનો કરવાની જરૂરત પડતી ન હોવાથી આ હોટેલની પસંદગી કરવામાં આવી છે.
શાહરૂખ ખાન લગ્નમાં પહોચી શક્યો ન હતો.
મળતી પ્રાથમીક માહિતી પ્રમાણે સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના રિસેપ્શનનમાં બોલિવુડ આખુ આવશે. જેમાં આપણે મહેમાનોના નામની યાદીની જો વાત કરીએ તો તેમાં શાહરૂખ ખાન અને તેમના પત્ની ગૌરી ખાનનું નામ છે. મહત્વની વાત એ છે લગ્નનું કાર્ડ કે કંકોત્રી પણ શાહરૂખ ખાનને કિયારા અને સિદ્ધાર્થે આપી હતી પરંતુ સમયની અનુકુળતા ન હોવાથી શાહરૂખ રાજસ્થાનમાં શાહી લગ્નમાં હાજરી આપવા માટે પહોચી શક્યો ન હતો. પરંતુ હવે મુંબઈમાં જ રિસેપ્શન હોવાથી તે ત્યાં ચોક્કસ પણ આવશે તે કન્ફર્મ માનવામા આવી રહ્યું છે.
મુંબઈના ગ્રાન્ડ રિસેપ્શનમાં કોણ-કોણ આવશે
રાજસ્થાનનમાં લગ્ન બાદ ન્યુલી કપલ દ્વારા એક ગ્રાન્ડ રિસેપ્સનની તૈયારી કરી દેવામાં આવી છે અને આવનારી ૧૨ ફેબ્રુઆરીના રોજ મુંબઈની પોશ ફાઈવ સ્ટાર હોટેલ માની એક હોટલ એવી સેન્ટ રેજીસ હોટેલમાં ગ્રાન્ડ રિસેપ્શનમાં યોજાશે. જેમાં બોલિવુડના તમામ દિગ્ગજો આવશે. તેમના લીસ્ટની વાત કરીએ તો મનીશ મલ્હોત્રા, કરણ જોહર, વરૂણ ધવન, અજય દેવગન, કાજોલ, શાહિદ કપુર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, નિક જોનાસ, રણવિર સિંહ, દિપીકા પદુકોણ જેવા મોટા સ્ટાર્સ પણ સામેલ થવાના છે.
અંબાણી પરીવાર પણ મુંબઈના રિસેપ્શનમાં સામેલ થઈ શકે
કિયારા અડવાણી અને મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી નાનપણની બહેનપણી છે. ત્યારે આ શાહી લગ્નમાં પણ ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ સાથે રાજસ્થાનના જેસલમેર પહોચી હતી. માનવામાં આવે છે કે મુંબઈની હોટલમાં યોજાનાર ગ્રાન્ડ રિસેપ્શનમાં અંબાણી પરીવારને પણ આમંત્રણ આપાયું હોવાથી તે પણ સામેલ થઈ શકે છે.