વિશ્વભરમાં ખેલજગતમાં દેશનું નામ રોશન કરી રહેલ ગુજરાતની દીકરીઓ પર વેબિનારનું આયોજન.
વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરતી ગુજરાતની દીકરીઓ
આજે છ દીકરીઓ પર વેબિનારનું આયોજન
ગુજરાતના ખેલમંત્રી અને સંસ્કારધામ સ્પોર્ટ્સ અકેડેમીના ટ્રસ્ટીઓ પણ જોડાશે
વિશ્વમાં ખેલકૂદની દુનિયાના સૌથી મોટા મહાકુંભ એટલે ઓલિમ્પિક્સની ટૂંક જ સમયમાં શરૂઆત થવા જઈ રહી છે. સ્પોર્ટ્સ જગતમાં ગુજરાતનું નામ રોશન કરવા માટે છ દીકરીઓ જાપાનમાં વિજય કરવા માટે પહોંચી ત્યારે આ દિકરીઑની ગાથા પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેલમંત્રી અને સંસ્કારધામ સ્પોર્ટ્સ અકેડેમીના ટ્રસ્ટીઓ જોડાશે
સંકસાર ધામ સ્પોર્ટ્સ અકેડેમી દ્વારા આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યે આ વેબિનારની શરૂઆત થશે જેમાં ગુજરાતના ખેલમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકેડેમીના ટ્રસ્ટી દિલીપભાઈ ઠાકર અને મૌલિક ભગત પણ સામેલ થવાના છે. આ સિવાય ઓલિમ્પિક્સ મેડલિસ્ટ ગગન નારંગ તથા PCI પ્રેસિડેન્ટ દીપા મલિક પણ જોડાવવાના છે.
ફેસબુક લાઈવના માધ્યમથી થશે વેબિનાર
નોંધનીય છે કે ફેસબુક LIVEના માધ્યમથી થનાર આ વેબિનારમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે, અને તેમાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવનાર નથી.
સંસ્કારધામ સ્પોર્ટ્સ અકેડેમીનું આગવું મહત્વ
સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકેડેમી દ્વારા ગુજરાતમાં રમતવીરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જાપાન ગયેલી દિકરીઓમાં ઈલાવેનિલે સંસ્કારધામમાંથી જ પ્રશિક્ષણ લીધું છે. આ પહેલા પણ સંસ્કારધામ દ્વારા ગુજરાતની ગૌરવવંતી 6 દીકરીઓના માતાપિતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. PM મોદી સાથે સીધા સંવાદ માટેનું આયોજન પણ સંસ્કારધામ સ્પોર્ટ્સ અકેડેમીમાં જ કરવામાં આવ્યું હતું.