ઉત્તર ભારતમાં ભારે વરસાદનો સિલસિલો ચાલૂ છે. પંજાબમાં ભાખડા બંધમાંથી પાણી છોડવાને પગલે એલર્ટ અપાયું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાન સુધી પહોંચી ગયું. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ કાશ્મીર, ઉત્તરાંખડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આવનાર 48 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
જમ્મૂ કાશ્મીર
જમ્મૂ કાશ્મીરના કઠુઆ અને સાંબા જિલ્લા અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયા છે. પૂરને કારણે જમ્મૂ કાશ્મીરમાં એક વ્યક્તિ તણાયો હતો જ્યારે કઠુઆ અને સાંબા જિલ્લામા 15 લોકોને બચાવાયા છે. જમ્મૂ કાશ્મીરમાં ભારે વરસાદથી તાવી નદી સહિત મુખ્ય નદીઓનું જળસ્તર વધી ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે કહ્યું કે કટરામા શુક્રવાર રાત્રીથી સૌથી વધારે 133.4 મિ.મિ. વરસાદ થયો છે.
આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી કૃષ્ણા નદીમાં પૂરને પગલે બે જિલ્લાના 87 ગામ અને સેંકડો એકડ કૃષિ જમીન પાણીમાં ડુબી ગઇ છે. એનડીઆરએફને પૂરમાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. કૃષ્ણા અને ગુટુંર જિલ્લામાં 11,553 લોકોને 56 રાહત શિબિરોમાં મોકવામાં આવ્યા છે. જ્યાં એમણે ભોજન અને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચન્દને કૃષ્ણા નદીમા પૂરથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું. જ્યારે વિજયવાડા શહેરમાં પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરી રાહત કાર્યો અંગે જાણકારી મેળવી.
પંજાબ
પંજાબમાં ભાખરા બંધના જળસ્તરમાં ભારે વરસાદને કારણે પાણી છોડાયું છે. જેને કારણે ઘણા જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 203.27 મીટર પહોંચી ગયું જે ખતરાના નિશાનથી (204.5) થી થોડુ નીચે છે. પૂરને પગલે એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. પંજાબમાં ભાખરા બ્યાસ પ્રબંધન બોર્ડના અધિકારીઓએ 17 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. અધિકારીએ જણાવ્યું છે કે ભાખરા
રાજસ્થાન
રાજસ્થાનમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. અજમેર, જોધપુર, બીકાનેર, વનસ્થલી, ભીલવાડા અને સીકરમાં ક્રમશ: 104.5 મિમી, 88.2 મિમી, 79 મિમી, 42.1 મિમી, 41 મિમી અને 37.4 મિમી વરસાદ પડ્યો છે.