દરિયામાં નબળુ પડેલું વાયુ વાવાઝોડું આજે કચ્છ પહોંચશે. કચ્છમાં વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છથી વાવાઝોડુ 207 કિલોમીટર દૂર છે અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બીજી બાજુ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ખાસ કરીને પોરબંદર, દ્વારકા, કચ્છ, મોરબી માટે કરવામાં આવી છે. જ્યારે સુરતમાં પણ ભારે વરસાદની પડી શકે છે તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે. કચ્છના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડું પ્રવેશીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુધી પહોંચે તેવી આગાહી છે. જેના કારણે બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. આજે અને આવતીકાલે બનાસકાંઠામાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
કચ્છમાં અસર ચાલુ
વાયુ વાવાઝોડાની અસર સમગ્ર કચ્છમાં જોવા મળી રહી છે.. ભારે વરસાદના કારણે પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવનો ફુંકાઈ રહ્યો છે. સમગ્ર વાતાવારણમાં પલટો આવ્યો છે અને તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
પોરબંદરમાં પણ અસર
વાયુ વાવાઝોડાની અસર આજે ફરી વાર પોરબંદરમાં જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં આજે સવારથી મોજા ઉચે સુધી ઉછળી રહ્યા છે. જેને લઈને આજે સવારથી પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. સાથે જ હવમાંન વિભાગે માછીમારીઓને દરિયા ન ખેડવા માટે આગાહી કરી છે.
બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ
વાયુ વાવાઝોડાના કારણે બેટ દ્વારકામાં વસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એલર્ટના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. તો લોકો પાસે જીવન જરૂરિયાતની સાધન સામગ્રી ઘટી ગઈ છે. જેના કારણે દ્વારકાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે. તો માલસામાન પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..જ્યારે લોકો ઓખા જેટીએ બેસીને બોટની રાહ જોઈએ રહ્યા છે.
અમદાવાદમાં ઝાપટું
તો આ તરફ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.. સમગ્ર અમદાવાદમાં વરસાદની શરૂઆદ થઈ છે.. વેજલપુર,વાસણા,માનસી,બોડકદેવમાં સહીતના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે..તો આ તરફ એસ.જી.હાઇવે,સોલા અને બોપલ, ઘુમામાં વરસાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.
દ્વારકામાં 3 નંબરનું સિગ્નલ
તો આ તરફ વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકામાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઓખા, વાડીનાર અને સલાયા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું..તો દરિયામાં કરંટ હોવાથી ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટની સર્વિસ પણ બંધ કરી દવામાં આવી છે. સાવચેતીના ભાગ રૂપે ઓખા GMB દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ હવામાન વિભાગે માછીમારોને આગામી 48 કલાક સુધી દરીયો ન ખેડવાની પણ આગાહી કરી છે. જ્યારે અમરેલીના જાફરાબાદ બંદર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.