નવસારી: મુંબઈ અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે. જેનો પ્રભાવ નવસારી જીલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદો છવાયો છે તો બીજી તરફ રોજીંદા કામે નીકળતો નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓ પાણીના ભરાવવાના કારણે હાલાકી વેઠવી પડી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્રએ તમામ સરકારીકર્મચારીઓને ફરજ પર હાજર રેહવા સૂચનાઓ આપી દીધી છે. આ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા છે. નવસારી જીલ્લાનો 52 કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શરૂઆત થતા લોકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ અને નાના બાળકોથી લઇને મોટેરા સુધીના લોકો વરસાદમાં પલળવા નિકળી પડ્યા હતા. જો કે વરસાદની ધમાકેદાર એન્ટ્રીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. નોકરિયાત વર્ગ પણ પાણી ભરાઇ જવાને કારણે પરેશાન થઇ ઉઠેલ. આપને જણાવી દઇએ કે હવામાન વિભાગે તાજેતરમાં કરેલી આગાહીને પગલે આગામી 48 કલાકમાં રાજ્યમાં મેઘ મહેર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આપને જણાવી દઇએ કે હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્રએ તમામ સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ આપી દીધી છે. આ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરીઓ થાય એવા આદેશો આપી દીધા છે. નવસારી જીલ્લાનો બાવન કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. જોકે ઉપરવાસ ઓછા વરસાદને લઈને ગંભીર સમસ્યાઓ આવી શકે એમ નથી.