ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત AN-32માં સવાર 13 લોકોના મૃતદેહ શોધવાામાં મુશ્કેલી આવી રહી છે. શિલોંગ સ્થિત ભારતીય વાયુસેનાના પ્રવક્તા રત્નાકર સિંહે કહ્યું, બચાવ અભિયાન, જે શનિવારે સવારે શરૂ થયું હતું. દુર્ઘટના સ્થળ પર ખરાબ હવામાનને કારણે આગળ વધી રહ્યું નથી.
ચીતા અને એએલએચ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે. અને હવામાનમાં સુધાર થયા બાદ શોધ અભિયાન શરૂ કરવાની રાહ જોવાઇ રહી છે. વાયુસેનાના જવાન આ માર્યા ગયેલા લોકોના પરિવારના નિરંત સંપર્કમાં છે અને તેમને નિયમિત રૂપે ચાલી રહેલા શોધ અભિયાન વિશે જાણકારી આપી રહ્યા છે. એમણે કહ્યું કે, બચાવ દળ દ્વારા પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે.
બચાવ દળે શુક્રવારે રશિયન મૂળના AN-32 વિમાનના કોકપિટ વોઇસ રિકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રિકોર્ડર (AFDR) જપ્ત કર્યું છે. વિમાન 3 જુનના આસામના જોરહાટથી ચીન પાસેના અરુણાચલ પ્રદેશના મેચુકા જઇ રહ્યો છે. પરંતુ ઉડાન ભરવાના અડધા કલાક બાદ તેનો સંપર્ક તુડી ગયો હતો.
આઠ દિવસોના તપાસ અભિયાન બાદ વિમાનના કાટમાળને મંગળવારે એક ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સિયાંગ અને શિ-યોમી જિલ્લોની સીમા પર 12000 ફૂટની ઉંચાઇ પર જોવા મળ્યો હતો.