રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાવાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઇને રાજ્યમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તરાયણને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ દિવસભર પવનની ગતિ સામાન્ય રહેશે.
ઉતરાયણની ઉજવણીમાં પવન નહીં બને વિલન
સમગ્ર દિવસ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે
હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના પવનની કરી આગાહી
હવામાન વિભાગન આગાહી મુજબ ઉત્તરાયણ પર્વ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તર-પૂર્વના પવનની આગાહી કરી છે.
રાજ્યમાં પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં સમગ્ર દિવસ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે. આ સાથે તાપમાન પણ સામાન્ય રહેવાની શક્યતાઓ છે. આમ પવન દેવ પતંગરસિયાઓને ખુશ કરશે.
અમદાવાદમાં ઉતરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને ઉત્તરાયણની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ મકરસંક્રાતિને લઇને સતર્ક જોવા મળી રહી છે.
શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણમાં ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યાં છે. આ સાથે દૂરબીન અને વોકીટોકી સાથે સતત વોચ રાખવામાં આવશે. આ સાથે ધાબા પર ટોળુ એકત્રિત થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો ધાબા પર માસ્ક વગર લોકો દેખાશે તો પોલીસ તરત ધાબા પર પહોંચશે. રથયાત્રાની જેમ ધાબા પોઇન્ટ અને દુરબીનથી શહેરમાં વોચ રાખવામાં આવશે. આ સાથે જાહેર રોડ પર પતંન ચગાવી શકાશે નહીં.
ઉત્તરાયણની ઉજણીની સરકારી ગાઇડલાઇન
ઉત્તરાયણની ઉજવણીમાં સરકાર ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. કોવિડ-19ના નિયમો અંગે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇનું મકરસંક્રાતિ પર્વ દરમિયાન પાલન કરવું પડશે.
ઉત્તરાયણ પર્વ પર ધાબા પર માત્ર પરિવારના સભ્યો જ એકઠા થઇ શકશે. અન્ય વ્યક્તિ આવશે તો સોસાયટીના ચેરમેનની જવાબદારી રહેશે. આ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
રાજ્યમાં ડ્રોન અને સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. આ સાથે 14 અને 15 જાન્યુઆરીએ રાત્રી કર્ફ્યું પણ અમલમાં રહેશે.