રાજ્યમાં હવામાન વિભાગે વાતાવરણને લઇને આગાહી કરી છે. સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા આગામી 24 અને 27 માર્ચ સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો કે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી જોવા મળી રહી છે.
રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં જનતા કર્ફ્યું કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 24થી 27 માર્ચ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આમ ગુજરાતની જનતા એક તરફ જનતા કર્ફ્યુંના કારણે પહેલાથી જ જીવનજરૂરિયાતની વસ્તુઓને લઇને હાડમારીનો સામનો કરી રહી છે ત્યારે કમોસમી વરસાદના પગલે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તર ગુજરાત, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી કરી છે.