ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે જેમાં આગામી 3 દિવસમાં રાજ્યમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. ત્યારે લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે અને ગુજરાતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
અરબ સાગરમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે રાજ્ય પર વાવાઝોડાનો ખતરો માંડ માંડ ટળ્યો હતો. જો કે વાયુ વાવાઝોડાની અસરને લઇને થોડા દિવસ અગાઉ લગભગ રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યારે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે જેથી દક્ષિણ ગુજરાતમાં નેઋત્ય ચોમાસું બેસી શકે છે.