વેધર બ્યૂરો (Weather Bureau) ના રિપોર્ટ અનુસાર મુંબઇમાં પહેલી જુલાઇથી સક્રિય થયેલ ચોમાસાંને કારણ જુલાઇ મહીનામાં થયેલ ભારે વરસાદથી છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે ગુજરાતનાં માછીમારોને પણ ચેતવણી આપી દીધી છે અને તેઓએ એક ઓગસ્ટ સુધી રાજ્યનાં ઉત્તર, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારનાં દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.
ન્યૂ દિલ્હીઃ દેશના અનેક વિસ્તારોમાં રવિવારના રોજ ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ થયો. ત્યારે રાજસ્થાનમાં વરસાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં વધુ નવ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે અસમ અને બિહારમાં પણ પૂરથી હજી સુધી રાહત નથી મળી કે જ્યાં ચોમાસાની ઋતુમાં 209 લોકોનાં જીવ જઇ ચૂક્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં રવિવારના રોજ એક વહેતા નાળામાં 10 વર્ષનું બાળક વહી ગયું અને રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ હજી શરૂ છે.
જમ્મુ-કશ્મીરમાં મુશળધાર વરસાદને કારણ અમરનાથ યાત્રાને સતત ચોથા દિવસે ત્રણ મુખ્ય આધાર શિબિરોથી સ્થગિત રાખવા પડ્યાં. તેઓએ કહ્યું કે, હવામાન વિભાગે ગુફા વિસ્તારમાં હિમપાતની આશંકા દર્શાવી છે. હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર બંગાળની ખાડીની ઉપર ઉપલબ્ધ ચક્રવાતી પરિસંચરણ બાદ બનેલા ઓછા દબાવને કારણ ઓરિસ્સામાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદ થઇ શકે છે.
દિલ્હીવાળાઓને રવિવારનાં રોજ ધુમ્મસનો સામનો કરવો પડ્યો કે જ્યાં વધારે તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ અને ઓછામાં ઓછું તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. આર્દ્રતા 97થી 67 ટકાની વચ્ચે રહ્યું. ભારત હવામાન વિભાગે સોમવારનાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ.
હવામાન વિભાગે ગુજરાતનાં માછીમારોને પણ ચેતવણી આપી દીધી છે અને તેઓએ એક ઓગસ્ટ સુધી રાજ્યનાં ઉત્તર, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારનાં દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય આપત્તિ અભિયાન કેન્દ્ર અનુસાર, રવિવારનાં સાંજના વલસાડમાં કપરાડા, ભરૂચનાં નેત્રંગ અને નર્મદાના ગુરૂદેશ્વરમાં 12 કલાકોની અંદર 54 મિમી, 48 મિમી અને 34 મિમી વરસાદ થયો.
ઉલ્લેખનીય છે કે રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં નોંધાયો છે. વાવમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર બાદ થરાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત મન મૂકીને મેઘરાજા વરસી રહ્યાં છે. ત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં અતિભારે વરસાદ વરસી શકવાની સંભાવના છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે 31મી તારીખથી કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર દેશની જો વાત કરીએ તો આસામના બારાપેટ જિલ્લામાં પૂરને કારણ વધુ એક શખ્સનું મોત થઇ ગયું અને જેમાં મરનારાઓની સંખ્યાનો આંકડો વધીને 82 થઇ ગયો છે. રાજ્યનાં 21.68 લાખ લોકો પ્રભાવિત છે. બિહારમાં પૂરથી અંદાજે 85 લાખ લોકો પ્રભાવિત છે જ્યારે રાજ્યમાં 127 લોકો પૂરથી જોડાયેલ દુર્ઘટનાઓમાં પોતાનો જીવ ખોઇ ચૂક્યાં છે. પૂરને કારણ દરભંગા-સમસ્તીપુર ખંડ પર રેલ્વે યાતાયાતને અસર થઇ.
Maharashtra: Water level of Sipna river rises following heavy rainfall in Amravati. pic.twitter.com/hfIeT3lay8
વેધર બ્યૂરો (Weather Bureau) ના રિપોર્ટ અનુસાર મુંબઇમાં પહેલી જુલાઇથી સક્રિય થયેલ ચોમાસાંને કારણ જુલાઇ મહીનામાં થયેલ ભારે વરસાદથી છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મહીનામાં મહાનગરમાં 1,268.4 મિલીમીટર વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. મુંબઇના લોકોને ભારે વરસાદથી રાહત નથી મળવાની. હવામાન વિભાગે ગયા સપ્તાહે મુંબઇમાં ભારે વરસાદને લઇ રેડ એલર્ટ રજૂ કર્યુ હતું કે જેને હવે ઓરેન્જ એલર્ટમાં બદલી દેવામાં આવેલ છે.