કુદરતે ગુજરાતની પ્રજાને પડ્યા માથે પાટું માર્યું છે. કોરોનાનો કહેર 3301 લોકો સુધી પહોચ્યો છે ત્યારે ગઈ કાલે રાજ્યના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવનાર 29 એપ્રિલ સુધી હજુ કમોસમી વરસાદ થવાની સંભાવના સેવી છે.
દક્ષિણ ગુજરાતના બે જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદની ભીતિ
કાલાવડ અને જામકંડોરણમાં વીજળી પડતાં બે લોકોના મોત
ગઈ કાલે સૌરાષ્ટ્રમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો
ગુજરાત હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આવનાર તારીખ 29 એપ્રિલ સુધીમાં વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
ગઈ કાલે ભર ઉનાળે જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જામકંડોરણમાં વીજળી પડતાં એકનું મોત થયું જ્યારે કાલાવડમાં પણ વીજળી પડતાં એકનું મોત અને બે ગંભીર રીતે દાઝ્યા છે. ખાંભા અને ગીર પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા આ ઉપરાંત આ ગામડાઓમાં ચકરાવા, ભાણીયા, ગીદરડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં જામકંડોરણા અને કાલાવડ તુલાકમાં તોફાની કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે જામકંડોરણાના કાનાવડાળા ગામે આવેલ વાડી વિસ્તારમાં વીજળી પડતાં બે લોકનાં મોત થયા હતા.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગીરગઢડાના ધોડકવા નજીક આવેલા ગીરજંગલમાં તુલસીશ્યામ મંદરિની આજુબાજુમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો.