મંગળવારે મતદારોને ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી 3 દિવસ હિટવેવ રહેશે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ: મંગળવારે મતદારોને ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી 3 દિવસ હિટવેવ રહેશે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગરમીથી બચવા મતદારો સવારે વધુ મતદાન કરે તેવી શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા,સાબરકાંઠા અને અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર રહશે. અરબી સમુદ્દ્રમાં મધ્ય લેવલ પર હાઈપ્રેશર સર્જાતા ગરમીનું પ્રમાણ વધશે. જેથી ગરમીનો પારો ચઢશે.
AMCના હેલ્થ વિભાગે જાહેર કરી સૂચના
ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાતા હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બપોરના સમયે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. જો કે હવામાન વિભાગે પણ ગરમીનું પ્રમાણ હજુ પણ વધે તેવી શક્યતાઓ દર્શાવી છે.
ત્યારે AMCના હેલ્થ વિભાગે પણ ગરમીના કારણે સૂચના જાહેર કરી છે.
તેમાં ખાસ કરીને બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ગરમીને પગલે પાણી અને અન્ય સુવિધાઓ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદમાં સામાન્ય રીતે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો હોય છે, જેને રેડ એલર્ટમાં ગણવામાં આવે છે. 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચતા જ લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ પડી જાય છે. ત્યારે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને જ્યુસ,ગોળાનો સહારો લઈ રહ્યા છે.
ગરમીને કારણે 436 કેસ નોંધાયા
12 લોકો ગરમીને કારણે મુર્છીત થઇને ઢળી ગયા હતા
આજે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા
અરબી સમુદ્રમાં મધ્ય લેવલ પર હાઈપ્રેશર સર્જાતા ગરમીનું પ્રમાણ વધશે