રાજ્યમાં વરસાદે છેલ્લાં કેટલાંય સમયથી વિરામ લીધો છે. જેથી હાલમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રતિક્રિયા આપી છે કે, રાજ્યમાં સારા વરસાદની હજી પણ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
રાજ્યમાં વરસાદે છેલ્લાં કેટલાંય સમયથી વિરામ લીધો છે. જેથી હાલમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રતિક્રિયા આપી છે કે, રાજ્યમાં સારા વરસાદની હજી પણ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. દર વર્ષે જુલાઈ સુધીમાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે. જો કે હજી સુધી કોઈ સિસ્ટમ બની નથી. સિસ્ટમ આવ્યા બાદ સારો વરસાદ આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે પરંતુ વરસાદની રાહ જોવી પડશે.
જો કે ઉલ્લેખનીય છે કે ઘણા સમયના વિરામ બાદ રાજ્યમાં વરસાદે કેટલાંક જિલ્લાઓમાં આગમન તો કર્યુ છે. રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદે આગમન કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. રાજ્યનાં મહીસાગર જિલ્લામાં વરસાદ થતાં ચારે બાજુ વરસાદી માહોલ છવાઇ ગયો હતો. વહેલી સવારથી જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે ગાજવીજ સાથે મહીસાગરમાં વરસાદ વરસવા લાગ્યો હતો. જેથી સુકાતા પાકને પાણી મળતા ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ થઇ ગયા હતાં.
બીજી બાજુ અમરેલીમાં આજ સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ધણા દિવસોના વિરામ બાદ આજે મેધરાજાની ફરી એન્ટ્રી થઈ છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વરસાદ સારો પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. તો આ તરફ વલસાડમાં લાબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઇ હતી. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
જેતપુરમાં પણ આજ સવારથી અચાનક વાતાવરણાં પલટો આવતા વરસાદનું આગમન થયું છે. જેતપુરના વાડિયા અને બગસરામાં લાબા વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદનું આગમન થતા ચારે બાજુ હરિયાળી છવાઇ ગઇ હતી. એમ કહીએ કે વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા ખેડૂતો માટે આખરે આનંદનો દિવસ છે. ઘણા દિવસોના વિરામ બાદ આજે મેધરાજાની ફરી એન્ટ્રી થઈ છે. વરસાદને પગલે ખેડૂતોમાં તેમજ બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ આવતા ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું છે.