વાયુ વાવાઝોડુંને લઇને હવામાન વિભાગના મોટા સમાચાર સામે આવ્યા છે, વાયુ અંગે હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત છે. વાવઝોડું આવતી કાલે બપોર પોરબંદર-વેરાવળ વચ્ચે ત્રાટકી શકે છે.
હવામાન ખાતાની આગાહી
આ સાથે જ હવામાન ખાતના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, વાવાઝોડા સ્પીડમાં ઘડાડો પણ પવનની તિવ્રતામાં વધારો થયો છે. વાયુ વાવાઝોડુ 150થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે, જેની અસર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં અસર થઇ શકે
સૌરાષ્ટ્રને અસર
આપને જણાવી દઇએ કે, વાયુ વાવાઝોડાની અસર દ્રારકા, જામનગર, કચ્છમાં પણ વાયુ વાવાઝોડાનો ખતરો યથવાત છે તો અમરેલી અને ભાવનગરમાં પણ વાયુ વાવાઝોડાની અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વાવાઝોડાએ બદલી દિશા
આ વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા વધી છે. આજરોજ સાંજે 5 કલાકે હવામાન વિભાગે આ ઘટના અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે નહીં પણ બપોરે ત્રાટકે તેવી શક્યતા છે.