ગુજરાતમાં ક્યાર ચક્રાવાત ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે જો કે હાલ તો તે જે ગતિથી આગળ વધી રહ્યુ છે તે જોતા તે ઓમાનના દરિયા તરફ આગળ વધી રહ્યુ હોવાના સંકેતો મળી રહ્યા છે. સાઉદી અરબના દરિયામાં સર્જાએલ ડીપ ડીપ્રેશન ગુજરાત મહારાષ્ટ્રાના દરિયાકાંઠા સુધી અસર કરી રહ્યુ છે. જેને પગલે મહારાષ્ટ્રના દરિયા પાસે પણ લો પ્રેશર સર્જાયુ છે.
માંગરોળના મોજો દરિયાકાંઠાની વસાહતોમાં પેઠા
ગુજરાતથી 445 કિમી દૂર છે વાવાઝોડું
દ્વારકા, પોરબંદરમાં 2 નંબરના સિગ્નલ
દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને ચક્રાવાત ઘમરોળી રહ્યુ છે. મહારાષ્ટ્ર પાસે દરિયામાં લો પ્રેશરનાં કારણે ચક્રવાત સર્જાયું છે. જેના પગલે દ્વારકા, વેરાવળ અને પોરબંદર દરિયાકાંઠે બે નંબરનું સીગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરીયો ન ખેડવા સુચના આપી છે. હવામાન વિભાગે આગામી અઠવાડીયામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
માંગરોળના દરિયાના પાણી વસાહતોમાં ઘુસ્યા
દરિયામાં કરંટનાં હિસાબે મોટા મોઝાં ઉછળી રહ્યાં છે. જેના કારણે માંગરોળ બંદરે દરિયાના પાણી ઝુપડાઓમાં ઘુસી ગયા હતાં તો ઉના નજીકનાં સૈયદ રાજપરામાં દરિયાનાં મોજાની થપાટથી એક બોટ ઉંધી વળી જતાં નુકશાની પહોંચી હતી. જૂનાગઢ કૃષિ યુનિર્વસિટીનાં હવામાન વિભાગે આગામી અઠવાડીયામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ક્યાર ચક્રવાત ઓમાન તટની તરફ જવાની આશંકા
12 કલાકમાં આ ચક્રવાત સશક્ત બનશે અને 24 કલાકમાં સૌથી વધુ શક્તિશાળી બને તેવી શંકા છે. ત્યારબાદ ક્યાર ચક્રવાત ઓમાન તટની તરફ જવાની આશંકા રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે સિંધુદુર્ગ જિલ્લાને માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે આ ક્યારની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
મુંબઈથી 350 કિમી દૂર છે 'ક્યાર'
આ તૂફાનને મહારાષ્ટ્રના રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગઢ સહિત ગોવા અને ઉત્તર કર્ણાટકના તટીય વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. મુંબઈથી 350 કિમી દૂર છે 'ક્યાર' વાવાઝોડું અને સાથે જ ગુજરાતથી 445 કિમી દૂર છે વાવાઝોડું. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા છે.
ગોવામાં 3 દિવસથી ભારે વરસાદ
ગોવામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સીઝનમાં હાલમાં રાહત મળવાની કોઈ સંભાવના નથી. પર્યટકોને સલાહ આપવામાં આવી રહી છે કે ઘરની બહાર ન નીકળે અને માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સુચના આપવામાં આવી છે.
ઓડિશામાં વરસાદથી 3ના મોત
બંગાળીની ખાડીમાં ચક્રવાતનું પ્રેશર બની રહેવાના કારણે ઓડિશામાં સતત 3 દિવસ અસર રહેશે. રાજ્યામાં વરસાદને કારણે 3 લોકોના મોત થયા છે અને અન્ય 4 લોકો ઘાયલ થયા છે. રાજધાની ભૂવનેશ્વરમાં વીતેલા 2 દિવસોમાં 253 મીમિ વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગના અનુસાર શનિવાર સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી.