ગુજરાત રાજ્ય પરથી વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયુ છે. પરંતુ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને પોતાની આગાહી કરી છે. જેમાં વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસુ મોડુ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 જૂન બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો જુલાઈના પ્રારંભમાં ચોમાસાના આગમનની શક્યતા સેવાઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાં 25 જૂને હવાનું દબાણ હળવું થશે. જેથી 17 થી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદી માહોલની શક્યતાઓ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આવતીકાલે વરસાદ થઈ શકે છે.