રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદ થાય તેવી શક્યતા છે. ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
આગામી 3 દિવસમાં પડી શકે વરસાદ
બોટાદ-બનાસકાંઠામાં વરસાદી ઝાપટા
હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
બોટાદ તથા બનાસકાંઠામાં વરસાદી માહોલ
નોંધનીય છે કે, પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિતામાં વધારો થયો છે. અત્યાર સુધી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું છે. તો આ તરફ બનાસકાંઠાના સુઈગામ, મોરવાડા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અમરેલીમાં વરસાદી ઝાપટું
અમરેલીના બાબરામાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. બાબરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વર્સ્યો હતો. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા.
13 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી
મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા થશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.
મધ્ય ગુજરાત તથા કચ્છમાં વરસાદ થવાના એંધાણ
મધ્ય ગુજરાતમાં હલકાથી ભારે વરસાદી ઝાપટા થશે. જેમાં વલસાડ, નવસારી, સહિતના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ રમઝટ બોલાવશે.
'મહા' વાવાઝોડાનું તાજેતરમાં જ ટળ્યું સંકટ
રાજયભરમાંથી મહા વાવાઝોડાનુ સંકટ ટળ્યુ છે. ત્યારે પોરબંરમાં રહેતા લોકો માટે ખુબ સારા સમાચાર છે. હવામાનની આગાહી પ્રમાણે આજ સાજ સુધીમાં વાવાઝોડુ દરિયામાં વિખેરાય જશે તેવી હવામન વિભાગ દ્વાર સૂચના આપવામાં આવી છે. ત્યારે હાલ પોરબંદરમાં વાતાવરણ સામાન્ય બન્યું છે. હાલ દરિયો શાંત જોવા મળી રહ્યું છે.