રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પહેલાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે હવે વરસાદને લઇને માઠા સમાચાર સામે આવ્યા છે.
વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં નહીવત વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના ખુબ ઓછી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ પડી શકે છે.
તો આ તરફ અમદાવાદીઓને પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. કારણ કે, 5 દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. અહીં ચિંતાનો વિષય તો ખેડૂતો માટે છે. કારણ કે, વાવણી બાદ વરસાદ ન આવતા મગફળી, તુવેર, કપાસ સહિતના પાકમાં તરકિંડીનો રોગ આવી શકે છે. જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે.