કેદારનાથ ધામમાં થયેલ ભારે હિમવર્ષાએ તીર્થયાત્રીઓને માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. ધામમાં હિમવર્ષા થવાંને કારણ ત્યાં અંદાજે બે ઇંચ જેટલો બરફ જામી ગયો છે. જ્યારે પહેલાં જ ત્યાં અનેક ફૂટ સુધી બરફ જામેલો હતો. નવો બરફ જામવાથી ત્યાં સ્લીપ થવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો.
દહેરાદૂનઃ કેદારનાથ ધામમાં થયેલ ભારે હિમવર્ષાએ તીર્થયાત્રીઓને માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. ધામમાં હિમવર્ષા થવાંને કારણ ત્યાં અંદાજે બે ઇંચ જેટલો બરફ જામી ગયો છે. જ્યારે પહેલાં જ ત્યાં અનેક ફૂટ સુધી બરફ જામેલો હતો. નવો બરફ જામવાથી ત્યાં સ્લીપ થવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો છે. એવામાં ત્યાં તીર્થયાત્રીઓ પમ બરફ પર ચાલી નથી શકતા.
બગડી રહ્યો છે મોસમનો મિજાજઃ
મળતી જાણકારી અનુસાર, ગઇ કાલે જ્યારે બરફમાં લોકો લપસવા લાગ્યાં ત્યારે ત્યાં એસડીઆરએફએ તેમની મદદ કરી. એક બાળક રસ્તા પર ચાલવામાં અસમર્થ દેખ્યાં તો એસડીઆરએફનાં જવાને તેને ગોદમાં ઉઠાવી લીધો અને છેક ધામ સુધી લઇ ગયો. ત્યારે અન્ય તીર્થયાત્રી પણ એકબીજાનો હાથ પકડીને રસ્તો પાર કરી રહ્યાં છે. શનિવારનાં રોજ સવારથી જ કેદારનાથમાં હવામાનનો મિજાજ બગડી રહ્યો છે. આ દરમ્યાન સાત કલાકનાં હલ્કા વરસાદની વચ્ચે બરફ પડ્યો. ત્યાર બાદ વાતાવરણમાં સુધારો થયો.
હાલનું વાતાવરણઃ
આ સાથે જ આજનો દિવસ પૂર્ણ થયા બાદ હલકો તડકો પણ ખીલેલો રહ્યો પરંતુ આ બરફીલી હવાનો પ્રકોપ બની રહ્યો. બપોર બાદ બીજી વાર વાતાવરણ ખરાબ થવા લાગ્યું અને વર્તમાનમાં ભારે ઘેરાયેલા વાદળ છવાવા લાગ્યાં. ત્યાર બાદ અહીં સાંજનાં ત્રણ કલાકથી એક કલાક તેજ હિમવર્ષા થઇ, જેનાંથી ધામમાં બે ઇંચથી અધિક નવો બરફ પણ જામી ચૂક્યો છે. જ્યારે અઢી ફીટથી અધિક બરફ પહેલાંથી જ હાજર છે.