નાના બાળકોથી લઈને યુવાનો હોય કે વૃદ્ધો બધાં જ મોજા તો પહેરતા જ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, મોજા પહેરવામાં કેટલીક ભૂલો કરવામાં આવે તો કેટલીક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. જી હાં, તમે કેવા મોજા પહેરો છો અને કઈ રીતે પહેરો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો કેટલાક નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ આ નુકસાન વિશે.
મોજા પહેરતા હોવ તો ચેતી જજો
આવી ભૂલો કરશો તો થશે ગંભીર નુકસાન
મોજા પહેરતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન
બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ
વધુ પ્રમાણમાં ટાઈટ મોજા ક્યારેય પહેરવા નહીં, કારણ કે તેનાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. તેના કારણે પગમાં દબાણ વધે છે. જેના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આ સિવાય આવા મોજા પહેરવાથી પગ ઠંડા અથવા સુન્ન પડી શકે છે.
સ્કિન પર રેશિઝ
મોજા પર લાગેલું ઈલાસ્ટિક ટાઈટ હોય તો પગ પર નિશાન પડી જાય છે. રોજ-રોજ ટાઈટ મોજા પહેરવાથી તેના નિશાન પગ પર પડે છે અને પગમાં રેશિઝ પણ થઈ જાય છે.
હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય છે
વધુ ટાઈટ મોજા પહેરવાથી પગની સ્નાયુઓમાં દબાણ વધે છે. તેના કારણે હાર્ટ સુધી બ્લડ પંપ કરવામાં પરેશાની થઈ શકે છે અને તેના કારણે હાર્ટબીટ ફાસ્ટ થઈ શકે છે. એવામાં હાર્ટ સંબંધી રોગો થવાનો ખતરો પણ વધી જાય છે.
પગમાં થઈ શકે છે ઈન્ફેક્શન
ટાઈટ અથવા લાંબા સમય સુધી એકના એક એટલે કે ધોયા વિનાના મોજા પહેરવાથી પગમાં ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. પગમાંથી ગંદી વાસ આવવા લાગે છે અને જો પગમાં પરસેવો થતો હોય તો ફંગલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે. ખુજલીની સમસ્યા પણ વધી શકે છે.
પગ વારંવાર સુન્ન થઈ જવા
વધુ ટાઈટ અને સાઈઝ કરતાં નાના મોજા પહેરવાથી સ્નાયુઓ પર દબાણ વધે છે. આખો દિવસ આવા મોજા પહેરી રાખવાથી લોહીનું પરિભ્રમણ અવરોધાય છે અને પગ વારંવાર સુન્ન થવાની સમસ્યા પણ થાય છે. જેથી આવા મોજા પહેવા નહીં.