જો તમે નોકરી ધંધામાં સફળતા મેળવવા માંગો છો, તો પન્ના રત્નને ધારણ કરવાથી અત્યંત શુભ ફળ મળશે.
અત્યંત પ્રભાવી છે આ રત્ન
બુધ ગ્રહ સાથે સંબંધ
નોકરી-વેપારમાં અપાવે છે સફળતા
અત્યંત પ્રભાવી છે આ રત્ન
રત્નશાસ્ત્રને જ્યોતિષની અત્યંત મહત્વની શાખા માનવામાં આવે છે. રત્નોની મદદથી કુંડળીનાં નિર્બળ ગ્રહોને મજબૂત કરીને સુભ ફળ મેળવવામાં આવે છે. સાથે શુભ ગ્રહોને વધારે મજબૂત બનાવીને તેમના દ્વારા મળતા ફળઓ પણ વધારેમાં વધારે લાભ લઇ શકાય છે. રત્ન શાસ્ત્રમાં 9 રત્ન અને 84 ઉપરત્ન જણાવવામાં આવ્યા છે. આ બધા 9 રત્નોનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે છે. આજે આપણે એક એવા રત્નની વાત કરવા જઈ રહ્યા છીએ, જે નોકરી-વેપારમાં સફળતા મેળવવા માટે ઓળખાય છે. આ રત્ન ધારણ કરતા જ વ્યક્તિનું ભાગ્ય સાથ આપવા લાગે છે.
નોકરી - વેપારમાં મળશે સફળતા
બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરવાવાળા પન્ના રત્ન ખૂબ જ પ્રભાવી રત્ન હોય છે. આ રત્ન પહેરવાથી જાતકની બુદ્ધિ, ચાતુર્ય, વાક્ ચાતુર્ય વધે છે. સાથે જ નોકરી-વેપારમાં ઝડપથી સફળતા પ્રાપ્ત થાય છે. જ્યોતિષમાં બુધને વેપારનો દાતા કહેવામાં આવે છે. આ રત્ન યાદશક્તિ પણ વધારે છે.
આ લોકો ધારણ કરી શકે છે પન્ના
મિથુન, કન્યા રાશિ અને લગ્નનાં લોકો માટે આ રત્ન પહેરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, વૃષભ, તુલા, મકર અને કુંભ રાહ્સીના લોકો પણ પન્ના પહેરી શકે છે. પરંતુ મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિનાં જાતકોએ પન્ના ધારણ ન કરવું જોઈએ. આમ તો કોઈપણ રત્ન પહેલા વિશેષજ્ઞની સલાહથી જ ધારણ કરવું જોઈએ. વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ, મીડિયા, ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો માટે પન્ના રત્ન ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
આ પ્રકારે ધારણ કરો પન્ના રત્ન
પન્નાને ચાંદી કે સોનાની વીંટીમાં હાથની સૌથી નાની આંગળીમાં બુધવારનાં દિવસે ધારણ કરવું શુભ માનવામાં આવે છે. આ રત્ન સૂર્યોદયથી લઈને સાવારે 10 વાગ્યા સુધીમાં ધારણ કરી લેવું જોઈએ. પન્ના ઓછામાં ઓછું 7 કેરેટનું હોવું જોઈએ.જોકે વિશેષજ્ઞ આ રત્નને શરીરનાં વજન અનુસાર ધારણ કરવાની સલાહ આપે છે. પન્ના પહેરવાનાં થોડા દિવસો પહેલા ગંગાજળ, મધ, દૂધમાં ડૂબાડીને રાખી દો. ત્યાર બાદ ગંગાજળથી ધોઈને તેને અગરબત્તી, દીવા સામે પધરાવીને ઓં બું બુધાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરીને ધારણ કરો. આ દિવસે બુધ ગ્રહથી સંબંધિત વસ્તુઓનું દાન કરો. આ દિવસે ગાયની સેવા કરવી જોઈએ.