ફિરોઝા નામક રત્નને ધારણ કરવાથી અપાર લોકપ્રિયતા અને પૈસાની પ્રાપ્તિ થાય છે. જાણો શું છે આ રત્ન અને ક્યા પ્રકારે ધારણ કરવું જોઈએ
ફિરોઝા રત્ન છે અત્યંત શુભ
રાતોરાત બદલી જશે કિસ્મત
મળશે અપાર લોકપ્રિયતા અને પૈસા
ફિરોઝા રત્ન છે અત્યંત શુભ
રત્ન શાસ્ત્રમાં 9 રત્નો અને 84 ઉપરત્નો વિષે જણાવવામાં આવ્યું છે, આમાંથી અમુક રત્ન - ઉપરત્ન અત્યંત પ્રભાવી હોય છે. ફિરોઝા પણ આવા જ પ્રભાવી રત્નોમાનું એક છે. સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાના હાથમાં ફિરોઝા જડેલું હોય એવું બ્રેસલેટ પહેરે છે. વાદળી કલરનું આ રત્ન ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે અને જે લોકોને આ સૂટ થઇ જાય છે, તેની રાતોરાત કિસ્મત પલટાઈ જાય છે.
ખૂબ જ ઓછા લોકો પહેરી શકે છે ફિરોઝા
ફિરોઝા રત્ન ઓછી રાશિનાં જાતકો જ પહેરી શકે છે. ઘનુ અને મીન રાશિનાં સ્વામી ગુરુ છે. એટલા માટે આ બે રાશિનાં જાતકો માટે આ રત્ન અત્યંત શુભ રહે છે. આ ઉપરાંત, જે લોકોની કુંડળીમાં ગુરુ ઉચ્ચ હોય, એટલે કે સકારાત્મક સ્થિતિમાં હોય, તેઓ પણ આ રત્ન પહેરી શકે છે. અમુક મામલાઓમાં મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિનાં જાતકોને પણ ફિરોઝા અત્યંત શુભ ફળ આપે છે, પરંતુ તેને ભૂલથી પણ હીરા સાથે ન પહેરવું જોઈએ. કોઈપણ રત્ન વિશેષજ્ઞની સલાહ લઈને જ ધારણ કરવું જોઈએ.
ફિરોઝા પહેરવાના ફાયદાઓ
ફિરોઝા રત્ન પહેરવાથી વ્યક્તિને અપાર ફેમ અને પૈસા મળે છે. અ પ્રેમ સંબંધો માટે પણ મદદરૂપ સાબિત થઇ શકે છે અને દાંપત્ય જીવનની તકલીફોને પણ દૂર કરે છે. આ રત્ન આત્મવિશ્વાસ વધારે છે. સ્વાસ્થ્ય સારું કરે છે અને વ્યક્તિત્વને પણ આકર્ષક બનાવે છે.
ફિરોઝા ધારણ કરવાની સરળ રીત
ફિરોઝા રત્નને ગુરુવાર, શુક્રવાર કે શનિવારે ધારણ કરવું જોઈએ. આ રત્ન ધારણ કરવાનો સૌથી શુભ સમય સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો છે. આ રત્નને ચાંદી કે તાંબામાં પહેરવું જોઈએ. વિધિ વિધાનતથી આ રત્ન પહેર્યા બાદ ગુરુને અચૂક દાન કરવું જોઈએ.