ભીડભાડવાળી જગ્યાએ ડબલ માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય છે તેવી ખાતરી હેલ્થ નિષ્ણાંતો આપી છે.
ડબલ માસ્ક પહેરવું સલાહભર્યું છે
ભીડભાડવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું હોતું નથી
તેથી ડબલ માસ્ક કોરોનાથી બચાવી શકે છે
દિલ્હીની મેક્સ સાકેત હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના વિભાગના ડિરેક્ટર ડો. રોમેલ ટિકૂએ જણાવ્યું કે ડબલ માસ્ક પહેરવું સલાહભર્યું છે અને તે કોરોનાના ચેપથી બચાવી શકે છે. તેમણે કહ્યું કે લોકો સર્જિકલ માસ્ક અને તેની ઉપર કાપડનું માસ્ક પહેરી શકે છે. જોકે એન-95 માસ્ક પહેર્યું હોય તો તેની પર બીજું કોઈ માસ્ક પહેરવાની જરુર નથી. પરંતુ જ્યારે તમે ભીડભાડવાળી જગ્યાએ જવા માંગતા હોવ તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરરુ પડે છે કારણ કે આવા સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કોઈ પાલન થતું નથી.
ડબલ માસ્ક પહેરવાથી ચેપગ્રસ્ત લોકોની છીંક કે શ્વાસથી ચેપ ફેલાતો નથી
તેમણે કહ્યું કે ઘણા માસ્ક ચહેરા પર સારી રીતે ફીટ થતા નથી. તેથી ડબલ માસ્ક પહેરવાથી ચેપગ્રસ્ત લોકોની છીંક કે શ્વાસ દ્વારા ફેલાતા છાંટાના જોખમમાં ઘટાડો કરે છે. યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીના તારણોને આધારે ડબલ માસ્ક પહેરવાની ભલામણ કરાઈ છે.
ડબલ માસ્ક પહેરવું ઘણું સલામત છે.
કોવિડ ટેકનીકલ એક્સપર્ટ કમિટીના વાયરોલોજિસ્ટ ડો.વી.રવિ જણાવે છે કે એક એવો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાયો છે કે જે સાબિત કરે છે કે ડબલ માસ્ક પહેરવું ઘણું સલામત છે. એન-95 માસ્કને યોગ્ય રીતે પહેરવાથી તથા ત્રણ સ્તરવાળું કાપડનું માસ્ક રક્ષણ બક્ષે છે.
ડબલ માસ્કથી કોરોનાનો ચેપ ફેલાતો અટકે છે
મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સ મેમ્બર ડો. શશાંક જોશીએ જણાવ્યું કે ડબલ માસ્ક પહેરવાથી તથા સારી રીતે ગાંઠ વાળવી કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટેના સારા પગલાં છે. તેમણે કહ્યું કે શરુશરુમાં ડબલ માસ્ક પહેરવાથી લોકોને થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ નિયમિત રીતે પહેરવાથી તેનાથી ટેવાઈ જવાય છે.
ડબલ માસ્ક પહેરવાથી 100 ટકા રક્ષણ મળે છે
કોલકાતાની ઈન્ટરનલ મેડિસિન કન્સલટન્ટ રાહુલ જૈને જણાવ્યું કે ડબલ માસ્ક પહેરવાથી 100 ટકા રક્ષણ મળે છે. ઘણી વાર માસ્ક નાક અને ચહેરાને સારી રીતે ઢાંકતું હોતું નથી. માસ્કની દોરી ઢીલી પડતા આવું થાય છે અને તેથી જ જો બીજું માસ્ક પહેર્યું હોય તો તે મોં અને નાકને રક્ષણ આપી શકે છે. જોકે બીજા કેટલાક નિષ્ણાંતો ડબલ માસ્ક પહેરવાથી સલાહ આપતા નથી. બેંગ્લુરના એપોલો હોસ્પિટલના પલ્મોનોલોજી ચીફ ડો. રવિન્દ્ર મહેતાએ જણાવ્યું કે સારી રીતે પહેરલું એક માસ્ક જ કોરોનાનો ચેપ અટકાવવા માટે પુરતુ છે.