જો ચંદ્ર કમજોર છે તો વ્યક્તિ નાની નાની વાતો પર પરેશાન થવા લાગે છે.
દરેક ગ્રહ વ્યક્તિના જીવન પર કરે છે અસર
ચંદ્ર ગ્રહ વ્યક્તિના મન સાથે સંબંધિત
ચંદ્ર નબળો હોય તો આ રીતે કરો મજબૂત
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહની અસર વ્યક્તિના જીવન પર પડે છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય છે તો તેની વિપરીત અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. ચંદ્ર ગ્રહ વ્યક્તિના મન સાથે સંબંધિત છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળી સ્થિતિમાં હોય તો તે અનેક માનસિક રોગોનો શિકાર બને છે.
કમજોર ચંદ્રના લક્ષણ
કોઈ પણ જાતકની કુંડળીમાં કમજોર ચંદ્રમા પહેલા વ્યક્તિના સ્વભાવને કમજોર કરે છે. જો ચંદ્રમા કમજોર હોય છે તો વ્યક્તિ નોની નાની વાતો પર પરેશાન થઈ જાય છે. જલ્દી ભાવુક થઈ જાય છે. ખોટા નિર્ણયો લેવા કમજોર ચંદ્રની નિશાની છે. આ સ્થિતિમાં જાતક શરદી ખાંસીથી પીડિત રહે છે. બ્લડ પ્રેશરની તકલીફ શરૂ થઈ જાય છે. એવામાં કમજોર ચંદ્રમાના અમુક ઉપાયો જણાવીએ. તેને કરવાથી વ્યક્તિના મન અને મસ્તિષ્કને મજબૂતી મળે છે.
કુંડળીમાં કમજોર ચંદ્રમાને મજબૂત કરવાના ઉપાય
નિયમિત રીતે વડના ઝાડના મૂળમાં પાણી નાખી અને પૂજા કરો
જ્યોતિષની સલાહનુસાર મોતી ધાર કરી શકો છો.
ચંદ્રમાને મજબૂત કરવા માટે હાથમાં ચાંદીનું કડૂ, વીંટી, ચાંદીની ચેઈન અથવા ચાંદીની પાયલ પણ ધારણ કરી શકાય છે.
ચંદ્રમા મજબૂત કરવા માટે મોડી રાત સુધી ન જાગો. કુંડળીમાં કમજોર ચંદ્રના લોકોને મોડી રાત સુધી ન જાગવું જોઈએ.
પુનમના દિવસે શિવજીને ખીર કે રબડીનો ભોગ લગાવો.
ઘરના પાયા બાંધતી વખતે તેમાં થોડો ચાંદીનો ટૂકડો દબાવવાથી ચંદ્ર મજબૂત થાય છે.
માન્યતા છે કે ચાર પાઈ અથવા જે પલંગ પર તમે સુવો છો તેના ચારે પગો પર ચાંદીના ખીલા લગાવવાથી પણ લાભ થાય છે.
માતૃપક્ષ એટલે કે માતા, મામા દ્વારા ચાંદીનું વાસણ ગિફ્ટમાં મળવાથી લાભ થાય છે.
સફેદ વસ્તુઓ જેવી કે પાણી, દૂધ અને ચોખા જેવી વસ્તુઓનું દાન કરો.
સોમવારે બાળકીઓને ખીર ખવડાવો. નવ બાળકીઓને ખીર ખવડાવવાથી ચંદ્ર મજબૂત થાય છે.
રાતના સમયે દૂધ અને ખીરનું સેવન ન કરો.
ચાંદીનો ચોરસ ટૂકડો પોતાના પર્સ અથવા પેન્ટમાં રાખો.