મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના, કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, ત્રણેય પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકાર બનાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે 5 નહીં આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો CM રહે.
સરકાર કોમન મિનીમમ પ્રોગ્રામ પર ચાલશે
મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વની જ સરકાર બનશે
અમારી સાથે જોડાયેલ લોકો પાસે સરકાર ચલાવવાનો અનુભવ
Shiv Sena leader Sanjay Raut on being asked 'if Shiv Sena CM will be for 5 years or CM will be for 2.5 years each from NCP and Shiv Sena?': Hum toh chahte hain aane wale 25 saal tak Shiv Sena ka CM rahe, aap 5 saal ki baat kyun karte ho. pic.twitter.com/ZH69LUDoTG
શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવાના પ્રયત્નો વચ્ચે જણાવ્યું છે કે ત્રણેય પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકાર બનાવાનો કોમન ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. સરકાર કોમન મિનીમમ પ્રોગ્રામ પર ચાલશે.
સંજય રાઉતે કોંગ્રેસના કર્યા વખાણ
સરકાર રચવાને ચાલી વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસના વખાણ પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, અમારી સાથે જોડાયેલા લોકો પાસે સરકાર ચલાવવાનો ખુબ અનુભવ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓનો આઝાદીના સમયે યોગદાન રહ્યો છે. યશવંત ચૌહાણે મહારાષ્ટ્રની નીવ રાખી હતી
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે
કોંગ્રેસ-શિવસેના-NCP વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનવવાને લઇને કોમન ડ્રાફ્ટ તૈયાર થયો હોય તેવી જાણકારી સામે આવી રહી છે. ત્યારે રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો શિવસેનાના નેતૃત્વમાં જ બનશે. ત્યાર બાદ તેમણે 5 વર્ષ સુધી શિવસેનાના સીએમને લઇને રાઉતે જણાવ્યુ કે, આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. અમારી સરકાર આવવા અને જવા વાળી સરકારમાંથી નથી. શિવસેના વર્ષોથી મહારાષ્ટ્રમાં કામ કરે છે. શિવસેના પહેલાથી જ ખેડૂતોની સાથે મળીને કામ કરે છે.