Wrestlers Protest News: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બૃજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો આજે સાંજે તેમના મેડલને ગંગામાં વહાવશે
કુસ્તીબાજોના વિરોધ વચ્ચે હવે એક મોટા સમાચાર
કુસ્તીબાજો આજે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં તેમના મેડલને ગંગામાં વહાવશે
સાક્ષી મલિકે કહ્યું, ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરીશ
કુસ્તીબાજોના વિરોધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બૃજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં તેમના મેડલને ગંગામાં વહાવશે. આ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડ માટે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે પોલીસ સાથેની અથડામણ બાદ તેઓ જંતર-મંતરથી પરત ફર્યા છે.
શું કહ્યું કુસ્તીબાજ સાક્ષી મલિકે?
કુસ્તીબાજ સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, મેડલ ગંગામાં તરતા કર્યા પછી તે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે. સાક્ષીએ લખ્યું, અમે આ મેડલ શુદ્ધતા સાથે હાંસલ કર્યા હતા. આ ચંદ્રકો પહેરીને તેજસ્વી સફેદ પ્રણાલી ફક્ત પોતાનો જ પ્રચાર કરે છે. પછી આપણું શોષણ કરે છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પરત નહીં કરે, કારણ કે તેઓએ અમારી કોઈ કાળજી લીધી નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2023
શું કહ્યું બૃજભૂષણ સિંહે ?
આ દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહે 5 જૂને અયોધ્યામાં મોટી રેલી બોલાવી છે. જેમાં સંતો ભાગ લેશે. બ્રિજભૂષણ અને સંતોનું કહેવું છે કે, POCSO એક્ટનો ફાયદો ઉઠાવીને તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ધરણા કરી રહેલા કુસ્તીબાજોની હડતાળ રવિવારે પોલીસની કાર્યવાહીને કારણે સમાપ્ત થઈ ગઈ હતી. આ હડતાળ બાદ તમામ કુસ્તીબાજોને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. તમામ કુસ્તીબાજોને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા.