હનુમાન જયંતિના અવસર પર રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ હવે માહોલ ધીમે ધીમે ટ્રેક પર આવી રહ્યો છે.
દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા ભડકી હતી
હિંસાના કારણે માહોલ ગરમાયેલો હતો
હિન્દુ-મુસ્લિમ એક થયા, ભાઈચારાની આપી મિસાલ
હનુમાન જયંતિના અવસર પર રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ હવે માહોલ ધીમે ધીમે ટ્રેક પર આવી રહ્યો છે. વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ શુક્રવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના લોકોએ એક પ્રેસ કોન્ફ્રેંસ કરી હતી. સદ્ભાવના સ્થાપિત કરવા અને તેને જાળવી રાખવા માટે બંને પક્ષે મીડિયા સામે આવીને એક બીજા પર કરવામાં આવેલી હિંસાને લઈને માફી માગી હતી.
Delhi | It was a confidence-building measure. All are staying unitedly. Hindus and Muslims have lived like brothers in this country and will continue to do so. We're scaling down security arrangements: DCP North West Usha Rangnani on the Sadbhavna meeting in the Jahangirpuri area pic.twitter.com/19cGbEk0nC
પ્રેસ કોન્ફ્રેંસમાં મુસ્લિમ પક્ષ તરફથી તવરેજ ખાને કહ્યું કે, હનુમાન જયંતિની ઘટના બાદ અમે સ્તબ્ધ હતા. જહાંગીરપુરીમાં હિન્દુ મુસલમાન સાથે સાથે રહે છે. આ ભાઈચારો હજૂ પણ છે. અમે જહાંગીરુપુરીના દરેક ઘરના લોકો સાથે વાત કરી છે.
એક બીજાને ભેટી પડ્યા, શાંતિ જાળવી રાખીશું
તવરેજ ખાને કહ્યું કે, અમે એક બીજાને ભેટી રહ્યા છીએ અને શાંતિ જાળવી રાખીશું. આ દરમિયાન તવરેજ ખાને દિલ્હી પોલીસના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં દિલ્હી પોલીસે સારી એવી ભૂમિકા નિભાવી છે. તેમણે 16 એપ્રિલની ઘટનાને વધવા ન દીધી.
હિંસા પાછળ કોનો હાથ હતો
ખાને કહ્યું કે, હનુમાન જયંતિના અવસર પર થયેલી હિંસા પાછળ કોનો હાથ હતો, તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, વિસ્તારમાં હાલ એકદમ શાંતિપૂર્ણ માહોલ છે. ત્યારે આવા સમયે સુરક્ષાદળોની તૈનાતી ઓછી કરી દેવી જોઈએ.
રમખાણોએ અમને હચમચાવી નાખ્યા
તો વળી હિન્દુ પક્ષ તરફથી કરવામા આવેલી પ્રેસ કોન્ફ્રંસમાં ઈંદ્રમણિ તિવારીએ કહ્યું કે, અમે જહાંગીરપુરીમાં થયેલા સાંપ્રદાયિક હિંસાથી હચમચી ગયા છીએ. જહાંગીરપુરીમાં સાંપ્રદાયિક અથડામણનો અમારા કોઈનો ઈતિહાસ રહ્યો નથી. હું આપને વિશ્વાસ અપાવા માગુ છુ કે, બંને સમુદાય વચ્ચેનું અંતર આજે અહીં જ ખતમ થઈ જાય છે.
હિન્દુ કરશે તાજિયાનું સ્વાગત
તિવારીએ આગળ કહ્યું કે, જહાંગીરપુરીમાં અમે છેલ્લા 30-40 વર્ષથી સાથે રહીએ છીએ. અમે બધા સાથે મળીને આગને ઠારીશું. અમારે અહીં નેતાઓની જરૂર નથી. જ્યારે તાજિયા થશે તો હિન્દુઓ તેનું સ્વાગત કરશે અને હું મારા મુસ્લિમ ભાઈઓને વિનંતી કરવા માગુ છે કે, તેઓ પણ અમારા ઝૂલૂસ પર ફુલો વરસાવે.