લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં 52 સાંસદ જીત્યાં છે અને નેતા વિપક્ષ માટે જરૂરી આંકડાઓથી આ સંખ્યા 2 ઓછી છે. જો કે, આ વચ્ચે કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી તરફથી જરૂરી સંખ્યાબળ નહીં હોવાને કારણ નેતા વિપક્ષનાં પદની માંગ નહીં કરવામાં આવે.
ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસે સ્પષ્ટ કર્યુ કે લોકસભામાં તેમનાં સાંસદોની સંખ્યા નેતા વિપક્ષનાં પદ માટે ઓછી છે અને તે આનો દાવો નહીં કરે. ગઇ વખતની લોકસભામાં કોંગ્રેસનાં માત્ર 44 સાંસદો હતાં જેથી પાર્ટીને નેતા વિપક્ષનો દર્જો ન હોતો મળી શક્યો. આ વખતનાં નેતા વિપક્ષને માટે જરૂરી સંખ્યાથી ઓછાં સાંસદ હોવાંને કારણ કોંગ્રેસ આનો દાવો રજૂ નહીં કરે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ સ્પષ્ટ કરી દીધું કે, આવી કોઇ માંગ પાર્ટીની તરફથી નથી રાખવામાં આવી.
Randeep Singh Surjewala on Leader of Opposition: We will not stake a claim to the Leader of Opposition till we have the strength of 54 & since we don't have we're not going to stake a claim. https://t.co/Yjthql3coc
રાહુલ ગાંધી, 52 સાંસદ પૂરતા, ઇંચ-ઇંચ લડશેઃ
રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, પર્યાપ્ત સંખ્યા નહીં હોવાને કારણ સરકાર તરફથી અમે એવી કોઇ જ માંગ નહીં કરીએ. સુરજેવાલાએ કહ્યું, 'આ સામાન્ય વ્યવસ્થા છે કે કુલ સાંસદ સંખ્યામાંથી 10% સીટો કોઇ એક પાર્ટીની પાસે હોવી જોઇએ, ત્યાર બાદ જ નેતા વિપક્ષનો દરજ્જો મળી શકે છે. સંખ્યાબળનાં ઉદ્દેશ્યથી અમારી સીટોં 2 ઓછી છે. જો કે, આ બધુ સરકાર પર પણ નિર્ભર કરી શકે છે કે શું તે સંખ્યાબળ ઓછું હોવાં પર કોઇ એક પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે દરજ્જો દેવા ઇચ્છે છે કે નહીં.'
સુરજેવાલાએ એમ પણ કહ્યું કે, અમે અમારી તરફથી નેતા વિપક્ષનાં પદની માંગ નહીં કરવા જઇ રહ્યાં. આ માટે જરૂરી સંખ્યા 54 છે અને અમારી સંખ્યા તેનાંથી 2 ઓછી છે. જ્યાં સુધી અમે જરૂરી સંખ્યા સુધી નહીં પહોંચી જતા ત્યારે અમારી તરફથી આની માંગ નહીં કરવામાં આવે. તમને જણાવી દઇએ કે આજે જ કોંગ્રેસ સંસદીય દળની બેઠક પણ થઇ છે. આ બેઠકમાં સંસદીય દળનાં નેતા તરીકે સોનિયા ગાંધીની ફરીથી વરણી કરવામાં આવી છે.