'આદિપુરુષ' ફિલ્મના નિર્માતાઓએ વધુ સારો વિઝ્યુઅલ અનુભવ આપવા માટે ફિલ્મને મુલતવી રાખી છે અને નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
'આદિપુરુષ' ફિલ્મની રિલીઝ ડેટ ટળી
500 કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મ
લોકોને પસંદ નહતું આવ્યું ટીઝર
પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર દશેરાના થોડા દિવસો પહેલા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝરમાં દેખાતા વિઝ્યુઅલ લોકોને બિલકુલ પસંદ ન આવ્યા અને ફિલ્મને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો. હવે નિર્માતાઓએ વધુ સારો વિઝ્યુઅલ અનુભવ આપવા માટે ફિલ્મને મુલતવી રાખી છે અને નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે.
'તાનાજી' જેવી જોરદાર ફિલ્મ બનાવનાર ડિરેક્ટર ઓમ રાઉતમી અવનરી ફિલ્મ 'આદિપુરુષ'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને આ ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત છે અને પ્રભાસ ફિલ્મમાં પ્રભુ શ્રી રામની ભૂમિકા ભજવવાનો છે આ સાથે જ સૈફ અલી ખાનને ફિલ્મમાં રાવણ અને કૃતિ સેનનને સીતાના રોલમાં નજર આવવાના છે. પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર થોડા દિવસો પહેલા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પણ ટીઝરમાં દેખાતા વિઝ્યુઅલ લોકોને પસંદ ન આવતા ફિલ્મને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.
500 કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મ
જણાવી દઈએ કે નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની રહી છે અને સાથે જ આ ફિલ્મ ભારતીય દર્શકોને તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી વાર્તા સાથે અદભૂત દ્રશ્ય અનુભવ આપશે. જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ ભગવાન રામની નગરી અયોધ્યામાં ચાહકોના ઉત્સાહની વચ્ચે ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું પણ ટીઝર જોયા પછી લોકોના જેવા રિએક્શન આવ્યા એવા રિએક્શનની મેકર્સેને બિલકુલ અપેક્ષા નહતી.
લોકોને પસંદ નહતું આવ્યું ટીઝર
'આદિપુરુષ'નું ટીઝર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ ફિલ્મના વિઝ્યુઅલને કાર્ટૂન ગણાવ્યા હતા પણ આ સામે મેકર્સે કેટલાક ટ્રેડ એક્સપર્ટ્સને ફિલ્મનું 3D ટ્રેલર બતાવ્યું હતું અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પણ ટ્રોલિંગ વચ્ચે આ પ્રસંશા 'આદિપુરુષ' જોવા માટે લોકોને થિયેટરોમાં ન લાવી શકે, આ સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મને લોકોનો પ્રતિસાદ નકારાત્મક મળી રહ્યો હતો.
ફિલ્મની રિલીઝ ડેટ ટળી
થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે 2023ની સૌથી મોટી ફિલ્મોમાંની એક 'આદિપુરુષ'ની રિલીઝ મોકૂફ રાખવાની છે અને મેકર્સ હજુ પણ ફિલ્મ પર વધુ કામ કરવા માંગે છે. જણાવી દઈએ કે સોમવારે સવારે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મને મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સ ફિલ્મના વિઝ્યુઅલ પર કામ કરવા માટે વધુ સમય લેવા માંગે છે. જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મ 2023ના પહેલા મહિનામાં જ રિલીઝ થવાની હતી પણ હવે આ ફિલ્મ 16 જૂન 2023 ના દિવસે રિલીઝ કરવામાં આવશે.
ઓમ રાઉતે નિવેદનમાં કહ્યું હતું કે 'જય શ્રી રામ, આદિપુરુષ એ કોઈ ફિલ્મ નથી પણ ભગવાન શ્રી રામ પ્રત્યેની અમારી ભક્તિ અને સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ છે. દર્શકોને કમ્પ્લીટ વિઝ્યુઅલનો અનુભવ આપવા માટે અમારે ફિલ્મ પર કામ કરી રહેલી ટીમોને વધુ સમય આપવાની જરૂર છે. એટલા માટે આદિપુરુષ હવે 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે.
2023નો જૂન મહિનો રહેશે ધમાકેદાર
જણાવી દઈએ કે બોલિવૂડમાં જૂનમાં વધુ ફિલ્મો રિલીઝ કરવાનો ટ્રેન્ડ રહ્યો નથી પણ 2023માં આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં શાહરૂખ ખાનની જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ 'જવાન' 2 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે એવામાં માં 16 જૂને વર્ષની સૌથી મોટી ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થશે અને તેના એક અઠવાડિયા પછી આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2' રિલીઝ થવા જઈ રહી છે અને મહિનાના અંતમાં કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' પણ રિલીઝ થશે. એટલા માટે એક જ મહિનામાં 4 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.