સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મંગળવારે સશસ્ત્ર દળોમાં સ્વદેશી ટેક્નિકને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવાની વકાલત કરતા કહ્યું કે ભારત હવે પછીનું યુદ્ધ દેશમાં જ વિકસિત હથિયારો વડે લડશે અને જીતશે. એમણે કહ્યું કે, આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારતનું દુનિયામાં હથિયારોના સૌથી મોટા આયાતકારોમાં હોવુ ઠીક નથી. પરંતુ હવે સ્થિતિ બદલાઇ રહી છે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સ્વદેશી હથિયારો અને ડિફેન્સ સિસ્ટમની વકાલત કરી
હથિયારોના સૌથી મોટા આયાતકારોમાં હોવુ ઠીક નહીં, પરંતુ બદલાઇ રહી સ્થિતિ: બિપિન રાવત
ભવિષ્યના યુદ્ધ અલગ હશે, તૈયારી જરૂરી : બિપિન રાવત
41માં ડીઆરડીઓ ડિરેક્ટર સમ્મેલનને સંબોધિત કરતા જનરલ રાવતે કહ્યું કે હથિયારો અને અન્ય સિસ્ટમ્સનો વિકાસ ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખી થવો જોઇએ. જનરલ રાવતે કહ્યું, ભવિષ્યમાં યુદ્ધ કેવી રીતે લડવામાં આવશે, તેની રુપરેખા કેવી હશે, જો આપણે તેના વિશે વિચારીએ તો જરૂરી નથી કે સામ-સામે લડવામાં આવે. આપણે સાઇબર ક્ષેત્ર, અંતરિક્ષ લેઝર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને રોબોટિક્સના વિકાસની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ (AI) તરફ જોવુ પડશે. એમણે આગળ કહ્યું કે, જો આપણે આ વિશે નહીં વિચારીએ તો મોડુ થઇ જશે.
આર્મી ચીફે કરી DRDOની પ્રશંસા
સેના પ્રમુખે સ્વદેશી રક્ષા સિસ્ટમના વિકાસ માટે DRDOની પ્રંશસા કરી અને કહ્યું કે તેથી ભારતને મોટો લાભ મળશે. એમણે કહ્યું કે, ગત કેટલાક દાયકાઓમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) ઘણી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી છે. જનરલ રાવતે કહ્યું કે ભારત અનુસંધાન અને વિકાસના ક્ષેત્રમાં નવા કીર્તિમાન રચી રહી છે.
હથિયારોના સૌથી મોટા આયાતકારોમાં હોવુ ઠીક નહીં, પરંતુ બદલાઇ રહી સ્થિતિ
સેના પ્રમુખે કહ્યું, 'અમને વિશ્વાસ છે કે સેનાને તેથી મોટો લાભ મળશે. એમણે કહ્યું કે, ભારત હથિયારો અને દારુગોળોના સૌથી મોટા આયાતકારોમાંથી એક છે અને આઝાદીના 70 વર્ષ બાદ પણ આમ કહેવુ કોઇ ગૌરવની વાત નથી. પરંતુ કેટલાક વર્ષોથી આ સ્થિતિ બદલાઇ રહી છે. ડીઆરડીઓ સેનાઓની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પ્રયાસ કરી રહી છે. જે સ્વદેશી સમાધાનથી નીકળી હોય.
નોંધનીય છે કે, ડીઆરડીઓ ભવનમાં આયોજિત બે દિવસીય ઉદઘાટન સત્રમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિશિષ્ટ મહેમાન હતા. રક્ષા મંત્રીએ શરૂઆતમાં ડીઆરડીઓ પરિસરમાં સ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામની પ્રતિમાને શ્રદ્દાજલિ અર્પણ કરી. અબ્દુલ કલામની 88મી જયંતી પર રાજનાથ સિંહે કહ્યું, આપણે તેમના જીવનથી પ્રેરણા લઇએ અને ભારતને વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓના માધ્યમથી વિકસિત દેશ બનાવવાના તેમના સપનાને પૂર્ણ કરીએ.