પેગાસસ જાસૂસી મામલે દાખલ કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.
લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા
સુપ્રીમ કોર્ટે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી
કેન્દ્વ સરકાર નિષ્ણાત ટેકનિકલ સમિતિ મુકવા માટે તૈયાર
લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
કેન્દ્વ સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઈટી મંત્રીએ કહ્યું હતું કે, અમારી મજબૂત નિરિક્ષણ અને સંતુલન પ્રણાલી અંતગર્ત કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર દેખરેખ શક્ય નથી
સુપ્રીમ કોર્ટે સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી
પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. CJI રમનાએ જણાવ્યું કે તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. પબ્લિક ડોમેન દલીલ પર કોર્ટે જણાવ્યું કે અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં નથી જઈ રહ્યા. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. જ્યારે કેન્દ્ર સરકારે સમિતિ બનાવવાની વાત કરી ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સમિતિની નિમણૂક કોઈ મુદ્દો નથી. તેના બદલે સોગંદનામાનો ઉદ્દેશ એ જાણવાનો છે કે તમે (સરકાર) ક્યાં ઉભા છો.
અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે.
CJI રમનાએ કહ્યું કે તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં જતા નથી. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. સમિતિની નિમણૂક કોઈ મુદ્દો નથી. સોગંદનામાનો હેતુ બતાવવો જોઈએ કે તમે ક્યાં ઉભા છો. સંસદમાં તમારા પોતાના આઇટી મંત્રીના નિવેદન મુજબ ફોનનું ટેકનીકલ વિશ્લેષણ કર્યા વિના મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
નિષ્ણાતોની સમિતિની રચના કરવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે.
છેલ્લી સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી જણાવ્યું હતું કે, આ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે તે આ મામલાના તમામ પાસાઓને જોવા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે.
કેન્દ્વ સરકાર નિષ્ણાત ટેકનિકલ સમિતિ મુકવા માટે તૈયાર
સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સુરક્ષા અને લશ્કરી એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર સોફટવેરનો ઉપયોગ કરી રહી છે તે જાહેર કરશે નહીં જેથી આતંકવાદી નેટવર્ક્સ તેમની સિસ્ટમોમાં ફેરફાર કરી શકે અને ટ્રેકિંગ ટાળી શકે. મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર મોનીટરીંગ સંબંધિત તમામ હકીકતો નિષ્ણાત ટેકનિકલ સમિતિ સમક્ષ મૂકવા માટે તૈયાર છે, જે કોર્ટને રિપોર્ટ આપી શકે છે.
તમામ આરોપો પાયાવિહોણા છે
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે અરજીઓમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. કેન્દ્રએ કહ્યું હતું કે નિષ્ણાતોની સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે કેન્દ્રએ હવે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે સ્પાયવેર પેગાસસના કથિત ઉપયોગની તપાસની માંગ કરતી અરજીઓ પર વિગતવાર સોગંદનામું દાખલ કરવા જઈ રહ્યું નથી. બે વખત સમય લીધા બાદ કેન્દ્ર સરકારે પોતાનું સ્ટેન્ડ બદલ્યું.