હિંદૂ પંચાગ અનુસાર હાલમાં અધિક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો 3 વર્ષમાં એક વખત આવે છે આ કારણથી તે દુર્લભ છે. ઘણા લોકો અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની અરાધનામાં કરવમાં આવે છે. અધિક મહિનામાં શ્રીહરિ અને તેમના અવતારોની પૂજા કરવાની પંરપરા છે અને આ મહિનામાં તીર્થ યાત્રા કરવી વૃક્ષો વાવવા દાન કરવું જેવા સાર્વજનિક હિતના કામ કરવા જોઇએ. આ દિવસોને લઇને શાસ્ત્રોમાં ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે.આ પવિત્ર માસ માટે ઘણા કામ વર્જિત પણ કરવામાં આવ્યા છે. જો આ કામ કરવામાં આવે તો જીવનની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.
અધિક મહિના અથવા તો પુરુષોત્તમ મહિનામા લગ્ન કરવા મુંડન કરવુ નવા ઘરના નિર્માણ કાર્યની શરૂઆત નવા ઘરમાં પ્રવેશ નિજી ઉપયોગમાં લેવાઇનારી જમીન ખરીદવી વાહન ખરીદવું નવવધૂનો ગૃહ પ્રવેશ પાણીના બોરિંગનું કામ વગેરેને વર્જિત કરવામાં આવ્યા છે. અધિક મહિનામાં જો આ કામ કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થતું નથી.
દૈનિક જીવન માટે ધ્યાનમાં રાખો આ બાબતો:
અધિક મહિનામાં સવારે મોડા સૂધી પથારીમાં સૂઇ ન જવું. જલ્દી ઉઠીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. બપોરે અને સાંજના સમયે પણ સૂઇ જવાનું ટાળવું જોઇએ.
ઘરમાં ક્લેશ ન કરો. પતિ-પત્ની સાથે પ્રેમથી રહો. ઘરમાં જો અશાંતિ હશે તો ભગવાનની કૃપા નહી મળી શકે.
ઘરમાં ગંદકી ન રાખો જે ઘરમાં સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં તમામ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. ઘરની સાફ રાખવાની સાથે પોતાને પણ સ્વચ્છ રાખો.
માંસાહાર અને નાશાનું સેવન ન કરવું જોઇએ. આ પવિત્ર મહિનામાં પૂજા-પાઠ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ દરમિયાન અપવિત્ર વસ્તુઓનું સેવન કરવું ટાળવું જોઇએ.