જમ્મુ-કાશ્મીરના નગરોટામાં ગુરુવારે સવારે ભારતીય સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અશાંતિ ઊભી કરવાના આશયથી ખીણમાં ઘૂસેલા આતંકવાદીઓને સેનાએ આજે એક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે આર્મી ચીફ એમએમ નરવણે એ પણ પાકિસ્તાનથી આવતા આતંકીઓને કડક ચેતવણી આપી છે.
ભારતીય સેના પ્રમુખ નરવણેની ચેતવણી
આતંકીઓના હુમલા બાદ આપી ચેતવણી
કહ્યું ," LOC પાર કરવા વાળો જીવતો પરત નહીં જાય "
આર્મી ચીફ જનરલ નરવણે કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ LOC ને પાર કરવાનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ બચી નહીં શકે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ માટેનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે કે જે ભારતમાં ઘુસણખોરી માટે LOC પાર કરશે, તે પાછો ફરી શકશે નહીં, તે આવી જ રીતે ઢગલો થઈ જશે"
ચોખાની થેલીઓ ભરેલા ટ્રકમાં આવ્યા હતા આતંકીઓ
મહત્વનું છે કે જમ્મુના નગરોટા વિસ્તારમાં એક ઓપરેશનમાં સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારમાં ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ આ આતંકીઓ ચોખાની થેલીઓ ભરેલી ટ્રકમાં આવી રહ્યા હતા. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે SOG ને પણ ઈજા થઈ છે. આતંકીઓ સાથે મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે.
તે જ સમયે, ભૂતપૂર્વ ચીફ ચીફ આર્મી સ્ટાફ અને કેન્દ્રીય પ્રધાન જનરલ વી.કે.સિંઘે નાગરોટા એન્કાઉન્ટર માટે આર્મીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ ખીણમાં લોકશાહીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે આ આતંકવાદીઓ ત્યાં આતંક ફેલાવવાનો પ્રયાસ શરૂ કરે છે. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને અપીલ કરી છે કે આવી ઘટનાઓનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ.