વિરાટ કોહલી ટેસ્ટ સીરિઝમાં હાર બાદ બેટ્સમેનના પ્રદર્શનથી નિરાશ રહ્યા. કોહલીએ કહ્યું કે બોલર્સે સારું પ્રદર્શન કર્યું પણ બેટ્સમેનોએ સ્કોર કર્યો નહીં. ભારતને ટેસ્ટ સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો.
ન્યૂઝીલેન્ડે કર્યું ભારતનું સૂપડું સાફ
બેટ્સમેનના પ્રદર્શનથી નિરાશ થયા કોહલી
2 મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતની 0-2થી હાર
ન્યૂઝીલેન્ડે ભારતનું સૂપડું સાફ કર્યું હતું આ અંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ હાર માટે ન તો શરમ છે અને ન કોઈ બહાનું. તેઓએ કહ્યું કે એક સારી ટીમની સામે હારવામાં શરમની કોઈ વાત નથી. તેઓએ કહ્યું કે અમારી બેટિંગ ખરાબ રહી, ટોસનો સાથ મળ્યો નહીં. અમે સતત ભૂલ દોહરાવી. એવામાં જીતની આશા રાખવી એ પણ ખોટું છે. ઉલ્લેખનીય છે કે બે ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતને 0-2થી હાર મળી છે. કોહલીએ હાર માટે બેટ્સમેન પર ગુસ્સો કાઢ્યો હતો.
અમે રન ન બનાવી શક્યા
કોહલીએ મેચ પછી આપેલા પ્રેઝન્ટેશનમાં કહ્યું કે અમે પહેલી ટેસ્ટમાં તૈયારી દેખાડી નહીં અને અહીં પણ અમે પહેલી પારીમાં સારી બેટિંગ કરી શક્યા નહીં અને ફરીથી ભૂલ કરી. સાથે જ ન્યૂઝીલેન્ડની રમત શાનદાર રહી. તેઓએ સતત સારા એરિયામાં બોલિંગ કરી. કોહલીએ કહ્યું કે બેટ્સમેનોએ એટલા રન ન બનાવ્યા જેનાથી બોલર્સને થોડી રાહત મળતી.
બેટ્સમેનોએ સતત દોહરાવી પોતાની ભૂલ
કોહલીએ કહ્યું કુલ મળીને આ પરિણામ અનેક ચીજોનો મેળ છે. અમારા બેટ્સમેનોની ભૂલ અને ન્યૂઝીલેન્ડનો સતત દબાવ આ માટેનું કારણ છે. કોહલી પોતાની ટીમના બેટ્સમેન્સથી નિરાશ જોવા મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે ન્યૂઝીલેન્ડના બોલર્સે અમારી પર દબાવ બનાવ્યો અને અમે તેમાં ફસાતા ગયા.
સતત ટોસ હારવું પણ ભારતને પડ્યું મુશ્કેલ
ભારતીય ટીમને સીરિઝની બંને મેચમાં ટોસ હારવું ભારે પડ્યું. આ પછી કેન વિલિયમસને ભારતીય ટીમને બેટિંગ કરવા કહ્યું બોલર્સને માટે આ અવસર હતો અને સાથે જ કીવી ટીમે શાનદાર રમત રમી અને ભારતને બેકફૂટ પર રાખ્યું. આ માટે કોહલીએ કહ્યું કે ટોસ એક કારણ હોઈ શકે છે અને સાથે અમે તેનેા માટે વિચારતા નથી. આ તમારા કોઈના નિયંત્રણમાં હોતું નથી. ભારતીય કપ્તાને કહ્યું કે એક આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં તમે તેના માટે વિચારી શકો નહીં. અહીં તમારે સર્વશ્રેષ્ઠ આપવું પડે છે. આ સમયે અમે અમારું બેસ્ટ આપી શક્યા નથી. અમે તેની પર વિચાર કરીશું કે ક્યાં ભૂલ રહી ગઈ.
એક ટીમ તરીકે અમે અસફળ રહ્યા
વનડેમાં અમારી ટીમે સારો રોલ કર્યો પણ ટેસ્ટમાં એક ટીમની રીતે અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ન્યૂઝીલેન્ડની સામે અમે એક મિસાલ કાયમ કરી શક્યા નહીં. ટેસ્ટ સીરિઝમાં અમે ભૂલો કરી અને અમે માનીએ છીએ કે આ સીરિઝમાં અમે સારા ન રહ્યા અને સાથે આ વાતને સ્વીકારવી એ કોઈ ભૂલ કરી નથી.