પ.બંગાળમાં એનઆરસી ( NRC ) લાગૂ કરવાને લઇને મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણનું નુકશાન ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં ઉઠાવવું પડ્યું છે. બીજેપીના નેતાઓએ પણ આ વાત સ્વીકાર કરી છે કે બંગાળમાં એનઆરસીને લઇને જનતા વચ્ચે કોઇ પ્રકારના ભ્રમની સ્થિતિ છે, તેના કારણે વિધાનસભા પેટા ચૂંટણીમાં બીજેપીને નુકશાન ઉઠાવવું પડ્યું છે.
પ.બંગાળ પેટા ચૂંટણીમાં બીજેપીને એક પણ બેઠક પર જીત હાંસલ થઇ શકી નથી
બીજેપી ઉમેદવાર કમલ ચંદ્ર સરકારે કહ્યું, NRCને કારણે થયું નુકશાન
સીએમ મમતા બેનર્જી લાંબા સમયથી બંગાળમાં NRCનો વિરોધ કરી રહી છે
લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપીએ જે પ.બંગાળની 18 બેઠકો પર જીત હાંસલ કરી હતી. ત્યાં પાર્ટીને પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી શકી નથી. આ પરિણામ પર કલિયાગંજ બેઠકથી બીજેપીના ઉમેદવાર કમલ ચંદ્ર સરકારે એનઆરસીને જવાબદાર બતાવી છે. મીડિયા દ્વારા હારના કારણો પર સવાલ પૂછવા પર સરકારે કહ્યું કે અમે ચૂંટણી એટલા માટે હાર્યા કેમકે બંગાળના લોકો વચ્ચે પ્રદેશમાં એનઆરસી લાગૂ કરવાના નિર્ણય પર ભ્રમની એક ગંભીર સ્થિતિ છે. અને તેના કારણે બીજેપીને નુકશાન થયું છે.
મમતાએ કહ્યું હતું- લોકો વચ્ચે ભ્રમની સ્થિતિ
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ સંસદમાં એક નિવેદન આપતા રાષ્ટ્રીય એનઆરસી સૂચીની વાત કહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ વિશે આપેલા નિવેદન બાદ બંગાળના મુખ્યમંત્રી સતત તેની ટીકા કરી રહી છે. આ ઉપરાંત પૂર્વમાં પણ મમતા બેનર્જી આ કહી ચૂકી છે કે બંગાળમાં એનઆરસીને કોઇપણ કિંમત પર લાગૂ નહીં કરવા દેવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે બંગાળના લોકો વચ્ચે એનઆરસીને લઇને ભ્રમ અને ડરની સ્થિતિ છે.
NRCનો વિરોધ કરતી રહી છે મમતા બેનર્જી
વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત બાદ તમામ નિવેદનોમાં મમતા બેનર્જી કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવી રહેલા ડ્રાફ્ટ અને સરકારના વલણની ટીકા કરી હતી. આ ઉપરાંત મમતા બેનર્જીએ આસામની એનઆરજી લિસ્ટ બનાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા બંગાળના લોકોને કહ્યું હતું કે કોઇપણ આપની નાગરિકતા છીનવી આપને રેફ્યૂજી બનાવી શકે નહીં. નોંધનીય છે કે બંગાળમાં 3 બેઠકો પર થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીને આ વખતે એકપણ બેઠક મળી નથી.