કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે આ ખેડૂતોને પહેલા દિલ્હીમાં પ્રવેશવાણી અનુમતિ અપાઈ નહોતી, પરંતુ હવે તેમને બુરાડીમાં પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે, જો કે ખેડૂતો આ મામલે પણ ઝૂકવા માટે તૈયાર નથી
મોદી સરકાર સામે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં
ખેડૂતોને મળી રહ્યું છે વિપક્ષી પાર્ટીઓનું પૂર્ણ સમર્થન
ખેડૂતોએ કહ્યું, "છ મહિનાનું રાશન સાથે છે, અમે નથી જવાના"
લેટેસ્ટ માહિતી પ્રમાણે પ્રદર્શનની મંજૂરી બાદ ખેડૂત નેતાઓની મિટિંગ થઇ હતી જેમાં ખેડૂતોએ હરિયાણાની સિંધુ બોર્ડરથી નહીં હટવાનો નિર્ણય લીધો હતો, જો કે આ બાબતે હજુ આગળ નવી રણનીતિ બનવાની શક્યતાઓ છે, તેવુંઈ સૂત્રોએ જણાવ્યું હતું
Delhi: Security deployment at Tikri border as protesting farmers are gathered here despite being given permission to hold their demonstrations at the Nirankari Samagam Ground in Burari area pic.twitter.com/mpYSvyQU5x
આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂતો એ કોઈ પણ હિસાબે ઘરે પાછા ફરવાની ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે અમે 6 મહિનાનું રાશન સાથે લાવ્યા છીએ, કોઈ અહીંથી ક્યાંય જવાનું નથી, અમે મોદી સરકારને જગાડીને જ રહીશું અમે અમારા હકની લડાઈ લડી રહયા છીએ.
#WATCH A meeting of farmers from Punjab underway at Singhu border (Delhi-Haryana) as they continue their protest here
Delhi Police yesterday gave permission to farmers to hold their demonstrations at the Nirankari Samagam Ground in Delhi's Burari area pic.twitter.com/1t4OoVITCQ
મળતી માહિતી પ્રમાણે પંજાબના ફતેહગઢ સાહિબથી પણ હજારો ખેડૂતો એ દિલ્હી ભણી કૂચ શરુ કરી દીધી છે અને તેઓ દિલ્હી બાજુ આગળ વધી રહયા છે. આ સિવાય ઉત્તર પ્રદેશથી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો ના પ્રશ્નોનું સમાધાન કરવામાં સરકાર પૂરી રીતિ નિષ્ફળ રહી છે, માટે અમે દિલ્હી આવી રહ્યા છીએ.
નોંધનીય છે કે આ મુદ્દે કોંગ્રેસ હવે ખુલીને ખેડૂતો ના સમર્થનમાં આવી ગઈ છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તો પહેલાથી જ આ મુદ્દે મોદી સરકાર સામે મોરચો માંડીને બેઠા છે જેમાં રાહુલે આજે એક ટ્વીટમાં એવું પણ કહ્યું હતું કે પીએમ મોદીના અહન્કારને લીધે આજે દેશનો જવાન અને કિસાન આમને સામને છે, જો કે ત્યાર બાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો આ કાયદાઓને રદ્દ કરીશું અને એમએસપી અંગે ગેરેન્ટી પણ આપીશું
बड़ी ही दुखद फ़ोटो है। हमारा नारा तो ‘जय जवान जय किसान’ का था लेकिन आज PM मोदी के अहंकार ने जवान को किसान के ख़िलाफ़ खड़ा कर दिया।
ત્યાર બાદ આ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું કે આ ભાજપ જ છે જેણે ખેડૂતો ને લોન માફી અને ડબલ ઇન્કમ કરવાનું વચન આપ્યું હતું પરંતુ હાલનું વર્તન ભાજપ સિવાય કોઈ પણ અન્ય પાર્ટીએ ખેડૂતો સાથે નથી કર્યું
Treating farmers with such dereliction has never been done by any party except BJP. These are the same people who had told farmers that they'd not only waive loans but would bring in policies which would double farmers' income: Akhilesh Yadav, Samajwadi Party chief & former UP CM pic.twitter.com/qugHCMJnB2
નોંધનીય છે કે પ્રદર્શનની જગ્યા મુદ્દે ખેડૂતો ને સમજાવવાના ઘણા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા અને ત્યાર બાદ દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે જો ખેડૂતો દિલ્હી આવવા માંગે છે તો તેમને રોકવામાં ન આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ 2 લાખ જેટલા ખેડૂતો દિલ્હીમાં આવી શકે છે અને 40 કિમિ લાંબી લાઈન શરુ છે