દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું છે કે બીજે તો એક દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ લાગી શકે છે તો દિલ્હીમાં કેમ નહીં.
ચંદીગઢમાં તો એક દિવસમાં પ્લાન્ટ લાગી ગયો, દિલ્હીમાં કેમ નહીં ?
દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજન સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન અરજદાર ઈન્દરજીત સિદ્ધુ નામની મહિલાએ કોર્ટને જણાવ્યું કે મારા ભાઈને કોરોના થયો છે અને અમારે ઓક્સિજનની જરુર હતી. ચંદીગઢમાં તો એક દિવસમાં પ્લાન્ટ લાગી ગયો. તો પછી દિલ્હીમાં આવું કેમ ન થઈ શકે. દિલ્હી હાઈકોર્ટે મહિલા અરજદારની વાતને ગંભીરતાથી લીધી અને કેજરીવાલ સરકારને જવાબ આપવાનું જણાવ્યું છે.
હવે પછીની સુનાવણીમાં કોર્ટને જવાબ-દિલ્હી સરકાર
દિલ્હી સરકારે કોર્ટને જણાવ્યું કે તે હવે પછીની સુનાવણીમાં કોર્ટને જવાબ આપશે. દિલ્હીની બે હોસ્પિટલોએ ઓક્સિજનની અછત અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું કે જો બીજે ક્યાંય એક દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ લાગી શકે તો દિલ્હીમાં કેમ ન લાગી શકે.
એક નિવેદન બહાર પાડતા દિલ્હી સરકારે જણાવ્યું કે આ યોજના હેઠળ બાંધકામ સેક્ટરના 2,10,684 મજૂરોને 5 હજારની રોકડ સહાય મળશે. દિલ્હી સરકારે 1,05,750 મજૂરો માટે 52.88 કરોડની રકમ અલગ ફાળવી છે અને આગામી દિવસોમાં બીજા મજૂરોને પણ પૈસા આપશે.
મજૂરો અને પ્રવાસીઓના માટે ભોજન વિતરણ કેન્દ્ર સ્થાપિત કરાયા
દિલ્હી સરકારના નિવેદનમાં જણાવાયું છે કે દૈનિક મજૂરો, પ્રવાસીઓ અને બાંધકામમાં રોકાયેલા મજૂરોની જરુરિયાતો પૂરી કરવા દિલ્હીમાં સ્કૂલો અને નિર્માણ સ્થળો પર ભોજન વિતરણ કેન્દ્ર સ્થાપિત કરાયા છે.
નિવેદનમાં જણાવાયું કે ગુરુવારે સાંજ સુધીમાં 7,000 ફૂડ પેકેટ આ ભોજન વિતરણ કેન્દ્રોમાંથી વહેંચવામાં આવ્યાં છે. મજૂરો અને પ્રવાસીઓ માટે એક હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી છે.