પીડિત પરિવાર માટે હાજર રહેતી એડવોકેટ સીમા કુશવાહાએ માંગ કરી હતી કે તપાસ બાદ કેસની સુનાવણી દિલ્હીમાં થવી જોઈએ અને CBI એ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર, હવે કોઇની વાત નહીં સાંભળીએ
પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાએ ટ્રાયલ દિલ્હીમાં ચલાવવાની માંગણી કરી
બંને પક્ષના વકીલોની વચ્ચે થઈ હતી ઉગ્ર દલીલો
હાથરસ ગેંગરેપ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. યુપી સરકારે પીડિત પરિવારની સલામતી અંગે પોતાનો જવાબ આપ્યો હતો. બીજી તરફ, પીડિત પરિવાર માટે કેસ લડતા એડવોકેટ સીમા કુશવાહાએ માંગણી કરી હતી કે ટ્રાયલ બાદ કેસની સુનાવણી દિલ્હીમાં થવી જોઈએ અને CBI એ સીધો અહેવાલ સુપ્રીમ કોર્ટ માં સોંપવો જોઈએ. આ સમય દરમિયાન, કોર્ટમાં ઘણા મુદ્દાઓ પર ભારે ચર્ચા પણ થઈ હતી.
પીડિતાના પરિવારજનોએ કોર્ટમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટ માં પીડિત પરિવાર વતી સીમા કુશવાહા હાજર થઈ, સીમા કુશવાહા એ કોર્ટમાં કહ્યું કે પરિવારની સલામતી સુનિશ્ચિત થવી જોઈએ અને CBI નો રિપોર્ટ કોર્ટ દ્વારા જ પ્રાપ્ત થવો જોઈએ. આ સિવાય કેસની સુનાવણી દિલ્હીમાં ચાલવી જોઈએ.
તેના જવાબમાં સોલિસિટર જનરલે સરકાર વતી કહ્યું કે યુપી સરકાર CBI તપાસમાં સહકાર આપી રહી છે, સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. સરકારે માંગણી કરી છે કે જ્યારે પીડિત, આરોપી, એજન્સી અને સરકાર અહીં હોય ત્યારે બહારના લોકોના કેસમાં પ્રવેશ ન હોવો જોઇએ.
આરોપીએ શું કહ્યું?
આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટ માં વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, જ્યારે સિદ્ધાર્થ લુથરાએ એક આરોપી વતી બોલવાનું શરૂ કર્યું હતું, ત્યારે વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે તેને અટકાવ્યા હતા. જેને લઈને સિદ્ધાર્થે કહ્યું તે પોતે જ એક હસ્તક્ષેપ કરનારા તરફથી દલીલ કરી રહ્યા છે. ઇન્દિરા જયસિંહે અદાલતમાં અપીલ કરી છે કે પરિવારને રાજ્યને બદલે કેન્દ્રિય એજન્સીથી સુરક્ષા મળવી જોઈએ.
આરોપી વતી વકીલ સિદ્ધાર્થ લુથરા એ કહ્યું કે આ કેસમાં તમામ માહિતી સતત લીક થઈ રહી છે, જે યોગ્ય નથી. મુખ્ય ન્યાયાધીશે આ મુદ્દે આરોપી પક્ષને હાઇકોર્ટમાં જવા કહ્યું. દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલામાં તીસ્તા શેતલવાડ ની NGO ની દખલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવી NGO ફક્ત ન્યાયના નામે પૈસા એકત્રિત કરે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું , "હવે કોઈની વાત સાંભળવામાં આવશે નહીં"
આ કેસની સુનાવણીના અંતે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેમણે આરોપી, સરકાર અને પીડિતની વાત સાંભળી છે અને તે આખી દુનિયાનો અભિપ્રાય નહીં લે. આવી સ્થિતિમાં, તેમાં કોઈ નવી અરજકર્તાની સુનાવણી કરવામાં આવશે નહીં. કોર્ટ વતી, કોઈપણ નવા વ્યક્તિને સીધા અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું.
તે જ સમયે, સુપ્રીમ કોર્ટ ને યુપી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કોર્ટ સલામતી અંગે જે પણ આદેશ આપશે, તે પૂર્ણ થશે.મહત્વનું છે કે, આ કેસની પહેલી સુનાવણી પણ અલ્હાબાદ હાઈકોર્ટના લખનઉ બેંચમાં થઈ રહી છે. મુખ્યત્વે પરિવારની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે હજી સુધી કોઈ આદેશ આપ્યો નથી.