મોટાભાગના લોકો વિદેશ જવાનાં સપનાં જોતા હોય છે ભાગ્યે જ ઘણા લોકોનું આ સપનું પૂરું થાય છે. જ્યોતિષ અનુસાર કુંડળીના કેટલાક ખાસ યોગ પરથી ખબર પડી શકે છે કે તમે ક્યારેય વિદેશ યાત્રા કરી સકશો કે નહીં.
વિદેશ યાત્રા માટેના કુંડળી યોગ અને ચમત્કારી ઉપાય....
- કુંડળીના બારમા ભાવથી ખબર પડે છે કે વ્યક્તિના જીવનમાં વિદેશ યોગ છે કે નહીં અને છે તો તે ક્યારે વિદેશ જશે.
- કુંડળીનો બારમો ભાવ શુભ હોય તો વ્યક્તિ ધન કમાવા માટે વિદેશ યાત્રા કરે છે. શક્તિશાળી બારમા ભાવના કારણે વ્યક્તિ આવક અને ખર્ચ વચ્ચે તાલમેળ જાળવી રાખે છે.
- કુંડળીનો બારમો ભાવ નબળો હોય તો વ્યક્તિને સહેલાઇથી નોકરી નથી મળી શકતી. નોકરી મળી પણ જાય છે તો સખત મહેનત કરવી પડે છે.
- જો વ્યક્તિના પરિવારથી દૂર થવાના યોગ છે તો તે પણ 12મા ભાવ પરથી જાણી શકાય છે.
- કુંડળીના અષ્ટમ ભાવનો સંબંધ 12મા ભાવ સાથે હોય તો વ્યક્તિ વિદેશ યાત્રા કરે છે.
વિદેશ યાત્રા માટે કરો આ ઉપાય:
- રોજ સવારે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું. લોટામાં લાલ મરચાનાં બીજ નાખવાં. આ ઉપાય નિયમિત કરવો. સૂર્યદેવને પ્રાર્થના કરવૂ. સૂર્ય આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરે છે. તેમની કૃપાથી વિદેશયાત્રાનું સપનું પૂરું થઈ શકે છે.
- રોજ સવારે હનુમાનજીની પૂજા કરવી. હનુમાનજીની પૂજા કરવાથીઓ વિદેશ યાત્રામાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.