ખેડૂત આંદોલનના મુદ્દે બોલતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકાર હજુ પણ ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે 12 વાર મંત્રણા
અમે ખેડૂતો સાથે ગમે ત્યારે ચર્ચ કરવા તૈયાર છીએ
અમે કૃષિ કાયદાનો અમલ ન કરી શકીએ કારણ કે આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે.
તોમરે કહ્યું કે અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે 12 વાર મંત્રણા થઈ ચૂકી છે. અમે ખેડૂતો સાથે ગમે ત્યારે ચર્ચ કરવા તૈયાર છીએ. અમે કૃષિ કાયદાનો અમલ ન કરી શકીએ કારણ કે આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે રચેલી કમિટીએ હજુ સુધી તેનો જવાબ આપ્યો નથી.
We have held 12 rounds of talks with the farmers. We are ready to talk to farmers anytime. We can't implement the farm laws as the matter is with Supreme Court. The SC constituted committee is yet to submit its feedback: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/yaJhP4Ghd2
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવેદન પછી તેમની પર નિશાન સાધતા કહ્યું કે લોકો જમા થાય ત્યારે સરકારો બદલાઇ જાય છે. તોમરે કહ્યું હતું કે માત્ર ભીડ એકઠા થવાને કારણે કાયદા રદ નહીં થાય. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જો ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો સરકારને સત્તામાં રહેવું મુશ્કેલ બની જશે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપ્યું હતું નિવેદન
સોનીપત જિલ્લાના ખારખૌડાની અનાજ મંડળીમાં કિસાન મહાપંચાયત ખાતે, ટિકૈતે જણાવ્યું હતું કે, "કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કિસાન આંદોલન ચાલુ રહેશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન તોમરે રવિવારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ભીડ એકઠી થઈ રહી હોવાથી કાયદાને રદ્દ કરવામાં આવશે નહીં. તેમણે ખેડૂત સંગઠનોને વિનંતી કરી કે તેઓ સરકાર વિરોધી કાયદામાં કઈ જોગવાઈને ખેડૂત વિરોધી લાગે છે તે કહે."
વધુમાં ટિકૈતે મહાપંચાયતમાં કહ્યું હતું કે, "રાજકારણીઓ કહે છે કે લોકોનું એકઠા થવાથી કાયદા પરત ન ખેંચાય. જ્યારે કે તેઓને જાણ હોવી જોઇએ કે ભીડમાં તો સત્તામાં પરિવર્તન લાવવાની પણ શક્તિ છે. જો કે આ અલગ વાત છે કે ખેડૂતોએ માત્ર કૃષિ કાયદા પરત લેવાની વાત કરી છે, સત્તા પરિવર્તનની નહીં." ગયા વર્ષે 28 નવેમ્બરથી, દિલ્હીની જુદી જુદી સીમાઓ પર ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટિકૈતે કહ્યું, "તેમને (સરકારે) જાણવું જોઈએ કે જો ખેડૂત તેની પેદાશનો નાશ કરી શકે છે, તો તમે તેની સામે કંઈ જ નથી."