બીજા ક્વોલિફાયરમાં ચેન્નાઇના બોલરોએ દિલ્હીને 9 વિકેટ પર 147 રનો પર રોકી દીધો હતો. ચેન્નાઇએ 19 ઓવરોમાં 4 વિકેટ પર 151 રન બનાવીને જીત દાખલ કરી.
ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ બીજા ક્વાલિફાયરમાં 6 વિકેટથી જીતનો શ્રેય બોલરોને આપ્યો. ધોનીએ કહ્યું કે બોલરોના સતત સારા પ્રદર્શનના દમ પર જ એની ટીમ 8મી વખત આઇપીએલ ફાઇનલમાં સફળ રહી. ચેન્નાઇ બોલરોએ દિલ્હીને 9 વિકેટ પર 147 રનો પર રોકી દીધી હતી. ચેન્નાઇ 19 ઓવરોમાં 4 વિકેટ પર 151 રન બનાવીને જીત દાખલ કરી.
ધોનીએ મેચ બાદ કહ્યું, 'ખેલાડીઓએ જે રીતે જે રીતે ખેલ દેખાડ્યો એ સારો હતો. સ્પિનરોને થોડોક ટર્ન મળી રહ્યો હતો અને અમે સાચા સમયે વિકેટ પાડી. એમની પાસે ડાબા હાથનો બેટ્સમેન હતો અને અમારા જમણા હાથના સ્પિનરોએ એમની સાથે સારું પ્રદર્શન કર્યું. સતત વિકેટ પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ રહી,' એને કહ્યું, 'બોલરોને શ્રેય જાય છે. આ સત્રમાં અમે અત્યાર જ્યાં પણ છીએ એના માટે બોલર વિભાગનો આભાર.'
દિલ્હીનો કેપ્ટન શ્રેયસ અય્યરે હાર માટે બોલરને દોષિત ગણાવ્યા, પરંતુ સાથે જ કહ્યું કે એમને માટે આ સત્ર શાનદાર રહ્યું. અય્યરે કહ્યું, 'અમારી શરૂઆત નિરાશાજનક રહી. અમે પાવરપ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી, જેમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. એમની પાસે શાનદાર સ્પિનર છે. કોઇ પણ બેટ્સમેન ઇનિંન્ગની સારી ભાગીદારી નિભાવવામાં આવી નહી. '