સુરતમાં સસ્તા અનાજના વેપારીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાબુલાલ નામનો વેપારી ખુલ્લેઆમ કમિશન લેવાનું કહી રહ્યું છે. અનાજનો વેપારી ગ્રાહકને કમિશનની વ્યાખ્યા સમજાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, કમિશન ના મારીએ તો મારી રોજી રોટી ના ચાલે. વેપારી કહી રહ્યો છે કે, હું તમને સાચવું છું તમે મને સાચવો. સાથે જ કહે છએ કે, ગુજરાતમાં તમામ વેપારીઓમાં આવું સેટિંગ ચાલે છે. ત્યારે અહિંયા સાવલ ઉઠી રહ્યા છે કે, ગરીબોના અનાજમાં આ રીતે કટકી કેમ કરાય છે ?. શું આવા અનાજના વેપારીઓનું લાઇસન્સ રદ ન થવું જોઇએ ?. તંત્ર આવા અનાજના વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ?. ગરીબોનું અનાજ અન્યને વેચી મારવાનું આ કૌભાંડ ક્યાં સુધી ચાલશે ?. આવા કટકીબાજોના કારણે ગરીબોના હકનું અનાજ પણ તેમને નસીબ નથી થતું.