નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓ તમામ દેશવાસીઓને 30 જાન્યુઆરી થઈ રહેલી ભૂખ હડતાલનો ભાગ બનવા અપીલ કરી છે. 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિને ખેડૂતો‘સદ્ભાવના દિવસ’ના રુપે મનાવી રહ્યા છે. તમામ નેતા સવારના 9 વાગ્યથી 5 વાગ્યા સુધી ઉપવાસ કરશે.
ખેડૂતોને લગભગ તમામ વિપક્ષી દળોનું સમર્થન મળી રહ્યું છે
પ્રદર્શન સ્થળો પર ઈન્ટરનેટ સેવા લાગૂ કરવાની માંગ
ખેડૂતો‘સદ્ભાવના દિવસ’ના રુપે મનાવી રહ્યા છે
એક ખેડૂત નેતાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે ભાજપ પાસે તિરંગાના સન્માનને લઈને ભાષણની જરૂર નથી. મોટા ભાગના ખેડૂતોના સંતાનો બોર્ડર પર ઉભા છે. ત્યારે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મોદી જી અને યોગી જી અને અન્યએ ધ્યાનથી સાંભળવું જોઈએ કે ખેડૂતો પીછે હટ નહીં કરે.
પ્રદર્શન સ્થળો પર ઈન્ટરનેટ સેવા લાગૂ કરવાની માંગ
આ દરમિયાન હરિયાણા સરકારે કાલે સાંજે 5 વાગ્યા સુધી અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જીંદ રોહતક, ભિવાની, ચરખી, દાદરી ફતેહાબાદ, રેવાડી અને સિરસામાં વોઈસ કોલને છોડીને ઈન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. ખેડૂત નેતાઓએ આને લઈને પ્રદર્શન સ્થળો પર ઈન્ટરનેટ સેવા શરુ કરવાની માંગ કરી છે.
તમામ વિપક્ષી પાર્ટી ખેડૂત સમર્થનમાં
ખેડૂતોને લગભગ તમામ વિપક્ષી દળોનું સમર્થન મળી રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાનુ નિરાકરણ કરવું જોઈએ. કૃષિ કાયદાને રદ્દ કરવાની આ સમસ્યાનું સમાધાન થવું જોઈએ. આ ઉપરાંત સપાના અખિલેશ યાદવે પણ ફોન પર રાકેશ ટિકૈત સાથે વાત કરી છે. અખિલેશ યાદવે કહ્યુ છે કે ભાજપા સરકારએ ખેડૂતોને જે રીતે હેરાન કર્યા છે તેને પુરો દેશ જોઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મંત્રી જયંત પાટિલે ખેડૂતોનું સમર્થન કર્યુ છે. પાટિલનું કહ્યુ કે કોઈ ફણ 26 જાન્યુઆરીએ દિલ્હીમા ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને યોગ્ય નથી ગણાવી રહ્યું પરંતુ ખેડૂતોની માંગને નજરઅંદાજ ન કરવી જોઈએ.
હુમલો કરવાના આરોપમાં 9 લોકોની કરાઈ ધરપકડ
બીજી તરફ દિલ્હી પોલીસે બુરાડીમાં પ્રદર્શન સ્થળ પર પોતાના એક કર્મી પર હુમલો કરવાના આરોપમાં 9 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે રાતે લગભગ સાડા 7 વાગે કેટલાક લોકો બહાર આવ્યા હતા અને લાલ કિલ્લા તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે મુખ્ય પ્રવેશ પર તૈનાત સહાયક ઉપ નિરિક્ષક હરબંસ લાલે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તે લોકોએ પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેમની વર્દી ફાડી નાંખી હતી.