ભારત વિરુદ્ધ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો પડ્યા છે. બાંગ્લાદેશ વિરૂદ્ધની મેચમાં રસેલને ઘૂંટણમાં ઇજા થઇ છે. જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમી શકે. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારત સામે 27 જૂનના રોજ રમાનાર આ મેચ માટે તે ફીટ થઇ જશે પરંતુ તેવું થઇ શક્યું નહીં. સોમવારના રોજ ICCએ સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, રસેલ વર્લ્ડ કપ 2019થી બહાર થઇ ગયેલ છે.
ઉલ્લેખનીય છે કે, આન્દ્રે રસેલની જગ્યાએ ટીમમાં સુનીલ એમ્બ્રિસને સામેલ કરવામાં આવેલ છે, જે બેટ્સમેન છે. 26 વર્ષીય સુનિલ એમ્બ્રિસે વેસ્ટ ઈન્ડિઝ માટે 6 વન-ડે ઇન્ટરનેશનલ રમ્યા છે. આ દરમિયાન તેમણે 1 શતક, તથા 1 અર્ધ શતક બનાવેલ છે.
IPL 2019માં કોલકત્તા માટે જોરદાર રમત રમનાર રસેલનું મેચમાં ન હોવું તે નિરાશાનજન છે. પરંતુ સેમી ફાઇનલ માટે રસ્તાઓ સંપુર્ણ રીતે બંધ થયેલ નથી.
આપને જણાવી દઇએ કે, સતત ખરાબ ફિટનેસ તથા ઇજાથી પીડાતા રસેલે વિર્લ્ડ કપમાં માત્ર 4 મેચ જ રમી છે. તેમણે પાકિસ્તાન સામે રમેલ મેચમાં 4 વિકેટ હાંસલ કરી હતી જો કે, બેટ્સમેન તરીકે સારી સફળતા પ્રાપ્ત કરી નહોંતી.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ 31 વર્ષીય રસેલે 2 વિકેટ મેળવી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડ વિરૂધ્ધના મુકાબલામાં તેણે 21 રન બનાવ્યા હતા પરંતુ વિકેટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.