ટીમ ઈન્ડિયાએ તો વર્લ્ડ કપમાં પોતાના પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને ધૂળ ટચાડતા જીતનો સિલસિલો સતત જાળવી રાખ્યો છે. પરંતુ ભારત સામે શરમજનક રીતે હાર થતા પાકિસ્તાનમાં માહોલ ગરમાઈ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે તો સરફરાઝને 10 ધોરણના વિદ્યાર્થી સાથે સરખાવ્યો છે. કેવો છે હાર બાદ પાકિસ્તારમાં ગરમાયેલો માહોલ?
ભારતીય ટીમે ક્રિકેટના ગ્રાઉન્ડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી બતાવી તો પાકિસ્તાન ભડકે બળી ઉઠ્યું. પોતાના ખેલાડીઓ પર જાણે આગની જેમ ટિકા-ટિપ્પણીની વર્ષા કરી રહ્યું છે. રવિવારે માન્ચેસ્ટરમાં થયેલા મુલાકબલામાં ડકવર્થ સુઈસ નિયમથી પાકિસ્તાનને 89 રને ભારતે હરાવ્યું. જે બાદ સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ફેઈન પોતાની ટીમના કેપ્ટનથી લઈને બેટ્સમેન સુધીના ખેલાડીની ક્લાસ લઈ ચૂક્યા છે.
હારને લઈને ખેલાડીઓ પર ખુબ રોષ ઠાલવી રહ્યા છે. માત્ર પાકિસ્તાની ફેઈન જ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટરો પણ આ હારથી ખુબ નારાજ છે. શોએબ અખ્તરે તો પોતાનો એક વીડિયો અપલોડ કરતા પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝને બુદ્ધી હીન ગણાવ્યો.
માત્ર સરફરાઝ જ નહીં પરંતુ અન્ય ખેલાડીઓ પણ ટ્રોલ થઈ રહ્યા છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાના પતિદેવ શોએબ મલિક પણ મેચમાં ઝીરો રનથી આઉટ થયા. તેવામાં તેના ફેઇન પણ ભારે નારાજ છે.
કારણ કે,આ મેચના અમુક કલાકો પહેલા શોએબ એક પાર્ટીમાં સાનિયા સાથે જોવા મળ્યા હતા. જેને લઈને પણ સોશિયલ મીડિયામાં તેની ટીકા થઈ રહી છે. પરંતુ આ ટિકા કરનાર લોકોને કોણ સમાજાવે કે, બાપ-બાપ હોઈ છે અને દિકરો-દિકરો.