ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલ 240 રનોના લક્ષ્યાંકનો પીછો કરતા ધોનીએ ઋષભ પંત, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા બાદ બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો.
મેચના સર્વોત્તમ ફિનિશરોમાંના એક ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ થયેલ સેમીફાઇનલમાં બેટિંગ માટે સાતમાં નંબર પર મોકલવામાં આવ્યો હતો. ભારતીય ટીમના મુખ્ય ક્રમ જ્યારે સસ્તામાં આઉટ થઇ ગયો અને મધ્યમક્રમ પણ તાત્કાલિક પેવેલિયન પરત ફરી ગયો ત્યારે ધોનીને સાતમાં નંબર મોકલવાના ટીમના મેનેજમેન્ટ અને કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલ 240 રનોના લક્ષ્યાંકનો પીછો કરતા ધોનીને ઋષભ પંત, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા બાદ બેટિંગ માટે મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને શાનદાર ભાગીદારી કરી, પરંતુ ટીમને જીત અપાવવામાં નાકામ રહ્યા.
હવે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ધોનીને સાતમાં નંબરે બેટિંગ માટે મોકલવાના નિર્ણય પર સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે આ એકલા કોચ અથવા કેપ્ટન નહીં પરંતુ ટીમનો નિર્ણય હતો. તેમણે કહ્યું કે ટીમની અંતિમ ઓવરોમાં ધોનીના અનુભવની આવશ્યક્તા હતી. અને તેમને સાતમાં નંબર પર મોકલવાનો નિર્ણય ટીમનો હતો. જેમાં તમામ સામેલ હતા અને આ એક સામાન્ય નિર્ણય હતો.