પીરિયડ્સ બંધ થયા પછી એટલે કે મેનોપોઝ બાદ પણ મહિલઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક રિસર્ચ અનુસાર, પીરિયડ્સ રોકાવાના 10 વર્ષ બાદ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધુ જોવા મળે છે. એવામાં મેનોપોઝ પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવીને મહિલાઓને થતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ મેનોપોઝ પછી મહિલાઓએ શું શું કાળજી રાખવી જોઈએ.
મેનોપોઝ બાદ પણ મહિાલઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે
મેનોપોઝ પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી
આ ટિપ્સથી મહિલાઓ મેનોપોઝ બાદ પણ સ્વસ્થ રહી શકે છે
કાર્ડિયો એક્સરસાઈઝ છે બેસ્ટ
એસ્ટ્રોજનનું લેવલ બોડીમાં ઓછું થવા પર હાર્ટ એટેકનો ખતરો વધે છે. એવામાં સપ્તાહમાં 5 દિવસ રોજ 30 મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ અવશ્ય કરવી. તેનાથી ફાયદો મળે છે.
પૌષ્ટિક ડાયટ
મેનોપોઝ દરમ્યાન વજન વધવાની સમસ્યા થાય છે. આ સિવાય બીપી અને ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે. જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો પણ વધે છે. આ બધી સમસ્યાઓથી બચવા મેનોપોઝ બાદ એકદમ હેલ્ધી ડાયટ ફોલો કરવું. ડાયટમાં ઓમેગા-3 ફેટી એસિડ અવશ્ય સામેલ કરવું.
જોગિંગ
મેનોપોઝ બાદ રોજ સવારે વોકિંગ કે જોગિંગ પર જવું. તેનાથી આખા શરીરની કસરત થાય છે અને બોડી પણ હેલ્ધી રહે છે.
ચેકઅપ છે જરૂરી
આ દરમ્યાન મહિલાઓની હાર્ટ બીટ ફાસ્ટ થવા લાગે છે. જેથી રેગ્યુલર ડોક્ટરનું ચેકઅપ અવશ્ય કરાવવું. આ સિવાય ગરદન, પીઠ, ખભા, પેટ અને શ્વાસની તકલીફ, ગભરામણ, ઊલ્ટી, પરસેવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓને ઈગ્નોર કરવું નહીં.
દારૂ અને ધૂમ્રપાન
મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સ બને છે જે મેનોપોઝ બાદ બહુ ઓછાં થઈ જાય છે. જેના કારણે હાર્ટની પાસે ફેટ જમા થવાની શક્યતા વધી જાય છે અને તેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ વધે છે. એવામાં જો દારૂ અને ધૂમ્રપાનનું સેવન કરો તો સંભાવના વધી જાય છે.