તરબૂચમાં મિનરલ્સનો ખજાનો હોય છે. ઉનાળામાં તરબૂચ અથવા તેના જ્યૂસને નિયમિત રીતે પીવાથી શરીરની તમામ મુશ્કેલીઓમાં રાહત મળે છે.
કાળઝાળ ગરમીમાં જ્યુસ આપે છે રાહત
તમને ડિહાઈડ્રેટ થતા બચાવશે
દરરોજ પીવો તરબૂચનો જ્યુસ
કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે હવામાનના હિસાબથી શરીરની માંગ પણ બદલાય છે. શિયાળામાં શરીરમાં ગરમ વસ્તુઓની માંગ હોય છે જ્યારે ગરમીમાં શરીરના તાપમાનને બેલેન્સ કરવા માટે ઠંડી અને પાણીદાર વસ્તુઓની જરૂર હોય છે. આજ કારણ છે કે નિષ્ણાંતો ગરમીમાં લિક્વિડ ડાયેટ વધારે લેવાની સલાહ આપે છે. આવી સિઝનમાં તરબૂચ અને તેનો જ્યૂસ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન સાબિત થઈ શકે છે. તેમાં 92 ટકા પાણી હોય છે. જે શરીરને ડિહાઈડ્રેટ થતા બચાવે છે.
પેટ માટે ફાયદાકારક
તરબૂચમાં વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. જેના કારણે આ ફળ ગરમીના કારણે થતી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ, કાર્બોબાઈડ્રેટ્સ અને મિનરલ હાઈડ્રેટ શરીરને એનર્જી પણ આપે છે અને થાક અને સુસ્તીને દૂર કરે છે.
લૂથી બચાવે છે
ગરમીમાં લૂ લાગવાનો ડર રહે છે. પરંતુ તરબૂચ આ રિસ્કને ખૂબ ઓછુ કરે છે. જો તમે દરરોજ તરબૂચ ખાઓ છો અથવા તેનો જ્યૂસ પીવો છો તો શરીરમાં પાણીની કમી નથી થઈ શકતી અને તમારૂ શરીર હિટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચી રહે છે.
વજન ઓછુ કરવામાં મળે છે મદદ
જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગો છો તો તરબૂતનો જ્યૂસ વઘારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ તરબૂતનો જ્યૂસ પીવાથી તમારા શરીરને જરૂરી પોષક તત્વ મળી રહેશે. જેનાથી શરીરને થાક અને કમજોરી મહેસૂસ નહીં થાય. સાથે જ વજમ ઓછુ થશે.
હાર્ટ માટે સારૂ છે
તરબૂચને હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારૂ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. જે લોહીના ભ્રમણ માટે સારૂ હોય છે. તેમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને અમીનો એસિડ એટેકના રિસ્કને ઘટાડે છે.
કિડનીને રાખે છે સ્વસ્થ્ય
તરબૂચનો જ્યુસ પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે તેથી તે કિડનીના સ્વાસ્થ્ય માટે સારૂ માનવામાં આવે છે. શરીર ડિટોક્સીફાઈ હોવાના કારણે ત્વચા પણ ચમકદાર બને છે. તરબૂચનો જ્યૂસ સ્કિનને ફ્રેશ રાખે છે અને વૃદ્ધા વસ્થાના પ્રભાવતી બચાવીને રાખે છે.