અમદાવાદના ઈન્કમટેક્સ પાસે બ્રિજના નિર્માણ કાર્યથી લઈને બ્રિજના લોકાર્પણ સુધી ગાંધીજીની પ્રતિમાનો વિવાદ ચાલ્યો હતો. પહેલા ગાંધીજીની પ્રતિમા હટાવવાનું નક્કી કરાયું હતું. અને બાદમાં પ્રતિમાને ત્યાંની ત્યાં જ રખાઈ હતી. જોકે હવે બ્રિજનું લોકાર્પણ પણ થઈ ગયું. અને વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો. જોકે બ્રિજના લોકાર્પણ બાદ થયેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી. ફરી એકવાર ગાંધીજીને આ બ્રિજ નડ્યો છે. ગાંધીજીની પ્રતિમા પર જ બ્રિજ પરથી પાણીનો ધોધ પડી રહ્યો છે. હવે આને તંત્રની ભૂલ સમજવી કે પછી નિર્માણકાર્યમાં બેદરકારી. 60 કરોડના ખર્ચે બનાવેલા આ બ્રિજનું 3 જુલાઈએ અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. અને આ પાણીનો ધોધ પડતાં ગાંધીજીની ગરિમાને પણ ઝાંખપ લાગી છે.